India News : કોંગ્રેસના પૂર્વ નેતા અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના વડા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનો (Ghulam Nabi Azad) એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરના લોકોને કહી રહ્યા છે કે હિંદુ ધર્મ ઇસ્લામથી પણ જૂનો છે અને પહેલા બધા મુસલમાન હિન્દુ હતા.
ગુલામ નબી આઝાદનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) ડોડા જિલ્લાનો છે. ગુલામ નબી આઝાદ 9 ઓગસ્ટે અહીં ભાષણ આપવા માટે પહોંચ્યા હતા. વીડિયોમાં આઝાદ કહેતા નજરે પડે છે કે, “ઈસ્લામનો જન્મ 1500 વર્ષ પહેલા થયો હતો. ભારતમાં કોઈ બહારની વ્યક્તિ નથી. આપણે બધા આ દેશના છીએ. ભારતના મુસલમાનો મૂળે હિંદુ હતા. જે પાછળથી રૂપાંતરિત કરવામાં આવ્યા હતા.”
Former Congress leader Ghulam Nabi Azad-
Hindu Religion is much older than Islam in India. Muslims in our country are because of Conversion from Hindus and in Kashmir all Muslims were converted from Kashmiri Pandits. Everybody is born in Hindu Dharma only. pic.twitter.com/trWqUyFzrs
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 16, 2023
“600 વર્ષ પહેલાં, કાશ્મીરમાં ફક્ત કાશ્મીરી પંડિતો હતા, ત્યારબાદ ઘણાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. લોકોને બંધુત્વ, શાંતિ અને એકતા જાળવવાની વિનંતી કરતાં આઝાદે કહ્યું, “ધર્મને રાજકારણમાં ભેળવવો ન જોઈએ. લોકોએ ધર્મના નામે મત ન આપવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
રણબીરના કારણે આલિયા નથી કરતી લિપસ્ટિક! અભિનેત્રીએ ખુદ ખુલાસો કર્યો-રણબીરને કોરા હોઠમાં જ મજ્જા આવે…
200 કરોડનો આંકડો પાર કર્યા બાદ સની દેઓલ અને ટીમ ફૂલ મોજમાં, જુઓ પ્રાઈવેટ જેટના અંદરનો વીડિયો
ગુલામ નબી આઝાદે કહ્યું, અમે બહારથી નથી આવ્યા. આ માટીની ઉપજ છે. આ માટીનો નાશ કરવો પડશે. ભાજપના કેટલાક નેતાઓએ કહ્યું કે કોઈ બહારથી આવ્યું છે, કોઈ અંદરથી આવ્યું છે. મેં તેમને કહ્યું કે અંદરથી અને બહારથી કોઈ આવ્યું નથી. હિન્દુઓને બાળી નાખવામાં આવે છે. આ પછી, અવશેષોને દરિયા (નદી) માં મૂકવામાં આવે છે. તે પાણી જુદી જુદી જગ્યાએ જાય છે. તે ખેતરોમાં પણ જાય છે એટલે કે આપણા પેટમાં જાય છે.