BJP 333 (ઓછામાં ઓછી 323) સીટ સાથે સ્પષ્ટ બહુમતિની સરકાર બનાવશે, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર ડૉ. આર. જે. દવેની ઓપન ચેલેન્જ

Lok Patrika
By Lok Patrika
Share this Article

Politics News: દવે ગુરુજીના નામથી સમગ્ર ગુજરાત અને ભારતમાં પ્રખ્યાત ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર ડૉ. આર. જે. દવેએ 2024ની લોકસભા ચૂંટણી અને PM મોદીને લઈ ભવિષ્યવાણી કરી છે. જેમની આગાહી કે ભવિષ્યવાણી ક્યારેય ફગતી નથી એવા ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર ડૉ. આર. જે. દવે દ્વારા કરવામાં આવેલી આ આગાહી હાલમાં ખુબ જ ચર્ચામાં છે. તો તમે પણ જાણો ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર ડૉ. આર. જે. દવેની 2024 લોકસભા અને pm મોદીને લઈ ભવિષ્યવાણી……

ચંદ્રયાન ૩ ચંદ્રની કક્ષામાં પહોંચીને ચંદ્રની આસપાસ ભ્રમણ કરી રહ્યું છે. તેજ રીતે મોદીયાન ૩ દિલ્લીની કક્ષામાં પહોચી ગયું છે જે 2024માં દિલ્લીમાં સોફ્ટ અને સફળ લેન્ડીંગ કરશે. મોદીજી ત્રીજી ટર્મ વડાપ્રધાન બનશે જેને દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહિ. બીજેપી + સાથી પક્ષો (NDA) 400 સીટના આંકડાને પાર કરી જશે. I.N.D.I.A (વિપક્ષી ગઠબંધન) માટે બસોનો આંકડો પણ પાર કરવો મુશ્કેલ બનશે. UPAના નામે ભ્રષ્ટાચારના અસંખ્ય રેકોર્ડ બોલે છે જેથી કરીને નવું નામકારણ I.N.D.I.A રાખેલ છે.

કંપની જ્યારે નાદારી નોંધાવે, દેવાળું કાઢે એટલે નવા નામથી ધંધો ચાલુ કરે તે રીતે ઠગોનું આ બંધન એકબીજાને બચાવવા માટે કરવામાં આવ્યું છે જેમાં કેટલાક જેલમાં છે, કેટલાક જવાની તૈયારીમાં છે અને કેટલાક ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગેલા છે. હવે આ ગઠબંધન સત્તામાં આવવાની કોઈ શક્યતા નથી જેને ભ્રષ્ટાચારની 100% ગેરંટી જોઈતી હોય તેઓજ માત્ર વોટ કરશે. આ વિપક્ષે માત્ર નામ જ બદલ્યું છે, ડાકુઓ તો એના એજ છે. જેમાં કોંગ્રેસ ભ્રષ્ટાચારની જનની છે તો કેજરીવાલ એનો પણ બાપ છે.

મનમોહનસિંહના કાર્યકાળ દરમિયાન તેમના નાક નીચે અને દાઢીની આસપાસ લાખો કરોડોના ગોટાળા થયા જેથી આ બધાની દુકાન બંધ થઈ ગઈ હોવાથી મોદીજી વિશે અનાબ-શાનાબ બકવાસ કરી રહ્યા છે. આજના અત્યારના સંજોગોમાં નરેન્દ્ર દામોદરદાસ મોદી સિવાય કોઈ વિકલ્પ દેખાતો નથી અને વિપક્ષી ગઠબંધન” મોદી હટાવો “ના એજન્ડાથી આગળ વધી રહ્યું છે. મોદીજી હટી જાય તોપણ તમે કોને લાવવા માંગો છો? નામ તો બતાવો !!! મોદીજીએ દુનિયામાં દશમાં નંબરે રહેલ અર્થવ્યવસ્થાને 5માં નંબરે લાવીને સ્થાપિત કરી છે અને હવે પછી તેને 1થી 3 નંબરમાં લાવવા પ્રયત્ન કરી રહ્યા છે.

* મોદીજી, દેશની જનતાએ આપને પૂર્ણ બહુમતી આપીને દિલ્હી મોકલ્યા છે તે ડુંગળી, બટાટા, ટામેટાં અને સીલીન્ડર માટે નહિ, દેશની રક્ષા અને નાગરિકોની સુરક્ષા માટે મોકલ્યા છે જે તમે સાબિત કરી આપ્યું છે

* કોંગ્રસ કહે છે કે અમારા ગાંધી પરિવાર માંથી બે વ્યક્તિ શહીદ થયા છે તો તેમને જણાવવાનું કે હવે ત્રીજો પણ દીવાલ સાથે માથું પટકીને શહીદ થઇ જાય તો પણ દેશને કોઈ ફરક પડતો નથી, દેશને આલુમાંથી સોનું જોઈતું નથી અને આટો (લોટ) કિલોમાં મળે છે તે બરાબર છે લિટરમાં જોઈતું નથી.

* મોંઘવારી, બેરોજગારી, સિલીન્ડર અને 15 લાખના વિશ્લેષણ પણ જોઈ લઈએ…

મોંઘવારી- આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર, વસ્તી વધારો, અને યુદ્ધ જેવી બાબતોને કારણે ભારત પર તેની અસર જલ્દી વર્તાતી હોય છે તેને રોકવા માટે વસ્તી નિયંત્રણ કાયદાનો તમે વિરોધ કરો છો અને પછી પાછળથી બકવાસ પણ કરો છો તે કેમ ચાલે?

બેરોજગારી –

જ્યાં સુધી મોદીજી આ દુનિયામાં છે ત્યાં સુધી આ ભ્રષ્ટાચારીઓની બેરોજગારી ઓછી થવાની નથી સિલીન્ડર- નોકરી ધંધા છોડીને સિલિન્ડર લેવા લાઈનમાં આખો આખો દિવસ ઉભા રહેતા એ ભૂલી ગયા? જ્યારે 5000 પગાર હતો ત્યારે 300 રૂપિયા સિલિન્ડરના હતા. આજે પગાર 15 થી 20 હજાર છે ત્યારે એક સીલીન્ડરના 1000 – 1200 કેમ ના હોય.

પરેશ રાવલ વાપરવાના પૈસા ગર્લફ્રેન્ડ પાસેથી લેતા, 3 દિવસમાં જ છોડી દીધી બેંકની નોકરી, આ પાપ પણ કર્યું

ખરેખર જરૂર હતી કે મજબૂરીનો લાભ લીધો? આમિરે એક કિસિંગ સીન માટે 47 રિટેક લીધા, અભિનેત્રી માતા પણ…

હાથ ધરી હથિયાર, તડકો માથે તપ-તપે, તો’ય ઉભા અડીખમ…. વાસણા પોલીસ તમારી ફરજને સો-સો સલામ

કરોડો માતા બહેનોને ચુલા ફુંકાવવાનું બંધ થયું તે કેમ દેખાતું નથી? સ્વચ્છ ભારત અંતર્ગત ભારતમાં ટોઈલેટની સુવિધાઓ થઇ આવી કરોડોની યોજનાઓ કેમ નથી દેખાતી? મોદીજી એ મોટાભાગનો કચરો સાફ કરીદીધો છે હજુ પણ એક જગ્યા એ બધો ભેગો થયો છે જેને દુર કરવાની જવાબદારી જનતાની છે જે 24માં પરિપૂર્ણ થઇ જશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly