ભારતવાસીઓ કાયદેસર ધ્રુજી ઉઠશે, આગામી 4 દિવસમાં જ કોરોનાના 7 લાખ કરતાં વધારે કેસ આવશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડાની સાથે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું સંક્રમણની ગતિ ધીમી થઈ રહી છે. આવી સ્થિતિમાં એક સવાલ એ પણ સામે આવી રહ્યો છે કે, નિષ્ણાતો જાન્યુઆરીના અંતમાં કોરોના ચરમસીમાએ પહોંચવાની વાત કરી રહ્યા હતા, શું તેમના અનુમાન ખોટા હતા? જાે નવા અંદાજાે પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતમાં કોવિડ-૧૯ની પિક હવે ૨૩ જાન્યુઆરીએ આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન દેશમાં ૭ લાખથી વધુ કેસ આવવાની સંભાવના છે. ભારતમાં કોવિડ-૧૯ના એક દિવસમાં ૨,૫૮,૦૮૯ નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૭૩,૮૦,૨૫૩ થઈ ગઈ છે.

ચેપના કુલ કેસોમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના ૮,૨૦૯ કેસ પણ સામેલ છે. સોમવારે સવારે ૮ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશના ૨૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના ૮,૨૦૯ કેસ નોંધાયા છે. તેમાંથી ૩,૧૦૯ લોકો ચેપ મુક્ત થઈ ગયા છે અથવા અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે. ડેટા અનુસાર, ચેપનો દૈનિક દર ૧૯.૬૫ ટકા અને સાપ્તાહિક દર ૧૪.૪૧ ટકા નોંધાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩,૫૨,૩૭,૪૬૧ લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-૧૯થી મૃત્યુદર ૧.૩૦ ટકા છે, જ્યારે દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર ૯૪.૨૭ ટકા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ‘ઓમિક્રોન’ના સૌથી વધુ ૧,૭૩૮ કેસ છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં ૧,૬૭૨, રાજસ્થાનમાં ૧,૨૭૬, દિલ્હીમાં ૫૪૯, કર્ણાટકમાં ૫૪૮ અને કેરળમાં ૫૩૬ કેસ છે. નિષ્ણાતોના મતે, દરેક સંક્રમિત નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ શક્ય નથી, પરંતુ આ વર્તમાન તરંગમાં મોટાભાગના કેસ ઓમિક્રોનના છે. IIT‌ કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં ભારતમાં કોવિડ-૧૯ની વર્તમાન લહેર લગભગ ખતમ થઈ જશે. IIT‌ કાનપુરના સૂત્ર મોડલ અનુસાર, જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં દેશમાં કોરોના સંક્રમણ તેની ટોચ પર હશે.

આ સાથે, નિષ્ણાત અને IIT‌ કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલનું કહેવું છે કે, દેશના મેટ્રો સિટીને લઈને ફોર્મ્યુલા મોડલમાં કરવામાં આવેલા મૂલ્યાંકન યોગ્ય નથી. આની પાછળ તેણે દલીલ કરી હતી કે, કોરોના ટેસ્ટને લઈને નવી ગાઈડલાઈન્સને કારણે ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે અને તેથી જ કેસ પણ ઓછા આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ૧૫થી ૧૬ જાન્યુઆરી દરમિયાન દિલ્હીમાં કોરોના સંક્રમણનું પિક નોંધવામાં આવ્યું હતું. ગાણિતિક મોડલ મુજબ આ સમયે, રોજના ૪૫ હજાર દર્દીઓ આવવાના હતા. પરંતુ આ દરમિયાન સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૮ હજારની નજીક રહી હતી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly