કર્ણાટક બીજેપી અધ્યક્ષ નલિન કુમાર કતીલે 18મી સદીના મૈસૂરના શાસક ટીપુ સુલતાનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ટીપુ સુલતાનના પ્રખર અનુયાયીઓ જીવિત ન રહે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે ટીપુ સુલતાનના વંશજોને જંગલોમાં મોકલવામાં આવે. ભાજપ ટીપુ સુલતાન પર હજારો લોકોનું બળજબરીથી ધર્માંતરણ કરવાનો આરોપ લગાવી રહ્યું છે. અગાઉની સિદ્ધારમૈયા સરકારે સતત બે વખત ટીપુ સુલતાનની જન્મજયંતિની ઉજવણી કરી હતી. આ અંગે ભાજપ સતત સવાલો ઉઠાવી રહ્યું છે.
કર્ણાટક BJP અધ્યક્ષે ટીપુ સુલતાન વિશે કહ્યું આવુ
અહેવાલ મુજબ નલિન કુમાર કાતિલે બુધવારે (15 ફેબ્રુઆરી) કોપ્પલ જિલ્લાના યેલાબુર્ગામાં બીજેપી સમર્થકોને સંબોધિત કરતી વખતે કહ્યું, “અમે ભગવાન રામ અને ભગવાન હનુમાનના ભક્ત છીએ. અમે ભગવાન હનુમાનને પ્રાર્થના કરીએ છીએ અને પ્રણામ કરીએ છીએ અને અમે ટીપુના વંશજ નથી. ચાલો ટીપુના વંશજોને ઘરે પાછા મોકલીએ. “હું અહીંના લોકોને પૂછું છું કે તમે ભગવાન હનુમાનની પૂજા કરો છો કે ટીપુની? તો પછી જેઓ ટીપુના કટ્ટર અનુયાયીઓ છે, તેમને તમે જંગલમાં મોકલશો? હું એક પડકાર જારી કરું છું – જેઓ ટીપુના કટ્ટર અનુયાયીઓ છે તેઓએ આ જમીન પર રહેવું જોઈએ નહીં.
વિધાનસભાની ચૂંટણી ટીપુ અને સાવરકરના મુદ્દા પર લડવામાં આવશે
ટીપુ સુલતાન અને હનુમાનની ચર્ચાએ ત્યારે વેગ પકડ્યો હતો જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં 2018ની વિધાનસભા ચૂંટણી પહેલા આ મામલે નિવેદન આપ્યું હતું. યોગીએ કહ્યું હતું કે કર્ણાટક હનુમાનની ભૂમિ છે જ્યાં એક સમયે વિજયનગર સામ્રાજ્યનું શાસન હતું. કોંગ્રેસ હનુમાન અને વિજયનગરની પૂજા કરવાને બદલે ટીપુ સુલતાનની પૂજા કરે છે તે કમનસીબી છે, જો કોંગ્રેસ હારી જશે તો ટીપુની પૂજા કરવા કોઈ નહીં આવે.
આખા 19 વર્ષ સુધી ચાલે છે શનિની મહાદશા! ભિખારીને પણ બનાવી દે રાજા, સમજો કે સુખની ચરમ ચીમા મળી જાય
કેવા છોકરા સાથે લગ્ન કરશે જયા કિશોરી? જયાએ પોતાના દિલની વાત કહી, આ વાતને સૌથી પહેલા ચેક કરશે
આ પહેલા કાતિલે એક નિવેદનમાં કહ્યું હતું કે આ વખતે વિધાનસભાની ચૂંટણી ટીપુ અને સાવરકરના મુદ્દા પર લડવામાં આવશે. કોંગ્રેસે ટીપુની જન્મજયંતિ ઉજવી જેની જરૂર નહોતી અને સાવરકરનું અપમાન કર્યું. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાઈ શકે છે.