અયોધ્યા હનુમાનગઢીના મહંત રાજુ દાસે ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને સપા નેતા ફહાદ અહેમદના લગ્નને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મહંત રાજુ દાસે કહ્યું કે જો સ્વરા ભાસ્કર હજારો પુરુષો સાથે રાત વિતાવવા માંગતી હોય તો તેણે આ લગ્નથી ખુશ રહેવું જોઈએ. સ્વરા ભાસ્કરે તે સમુદાયમાં લગ્ન કર્યા છે, જેઓ તેમની બહેનો સાથે લગ્ન કરે છે. ત્યાર બાદ મહિલાઓને તલાક, તલાક, તલાક કહીને ઘણા પુરુષો સાથે રાત વિતાવવી પડે છે.
મહંત રાજુ દાસે સ્વરા ભાસ્કરના લગ્નને લઈને આપ્યુ વિવાદાસ્પદ નિવેદન
મહંત રાજુ દાસે સ્વરા ભાસ્કરને અલ્ટીમેટમ આપતા કહ્યું કે રાખી સાવંતનું ઉદાહરણ બધાની સામે છે. એટલા માટે સ્વરા ભાસ્કરે પણ હવે હલાલા માટે તૈયાર રહેવું જોઈએ. સ્વરા ભાસ્કર ભારત તેરે ટુકડે હોંગે ઈન્શાલ્લાહ ઈન્શાલ્લાહ ગેંગની સભ્ય છે. જે છોકરાને સ્વરા ભાસ્કર 10 દિવસ પહેલા ટ્વિટ કરીને કહે છે કે ભાઈ, સારી છોકરી સાથે લગ્ન કરો. દસ દિવસ પછી તે એ જ છોકરા સાથે લગ્ન કરે છે. જો સ્વરા ભાસ્કર એક મહિલા શક્તિ અને મજબૂત મહિલા છે, તો તેણે તે સમુદાયમાં લગ્ન ન કરવા જોઈએ.
મહંત રાજુ દાસે સ્વરા ભાસ્કરને અલ્ટીમેટમ આપ્યુ
જો કે, મહંત રાજુ દાસે કહ્યું કે સ્વરા ભાસ્કરના લગ્ન આવકાર્ય છે, કારણ કે સનાતન તરફથી એક બોજ ઓછો થયો છે. હું કોઈ સ્ત્રી કે કોઈ ધર્મનું અપમાન કરવા માંગતો નથી, પરંતુ હિન્દુ ધર્મમાં સતી પ્રથા હતી જે આજે સમાપ્ત થઈ ગઈ છે. એ જ રીતે ઇસ્લામમાં પણ હલાલાની પ્રથા ખતમ થવી જોઈએ કારણ કે હલાલાની પીડા એવી સ્ત્રીને પૂછો જેને તેના ભાઈ, પિતા અને શિક્ષક સાથે પથારીમા જવુ પડે. આવી સંસ્કૃતિ નર્કમાં જવી જોઈએ.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ કહી આ વાત
બીજી તરફ આગ્રાના બાગેશ્વર ધામના પૂજારી ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધ પર હનુમાનગઢીના મહંત રાજુ દાસે કહ્યું કે હિંદુ હોય કે મુસ્લિમ, દરેકને આંદોલન કરવાનો અધિકાર છે. પરંતુ આંદોલન બંધારણના દાયરામાં હોવું જોઈએ. પણ બાગેશ્વર ધામ અને સનાતન સંસ્કૃતિનો વિરોધ કરો તો ચાલે નહીં.
રાજુ દાસે કહ્યું કે જો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ ખોટું કામ કરશે તો વિરોધ કરશે. લવ જેહાદના નામે આપણી બહેન-દીકરીઓના ટુકડા કરવામાં આવે છે. અમે આના પર ક્યારેય સવાલ ઉઠાવ્યા નથી. અમને પ્રલોભન આપીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યા પછી પણ અમે ક્યારેય પ્રશ્ન ઉઠાવ્યા નથી. પરંતુ જ્યારે સનાતન અને રામચરિતમાનસ પર હુમલો થયો ત્યારે અમે વિરોધ કર્યો.
ઉલ્લેખનીય છે કે આગ્રામાં અખિલ ભારતીય જમીતુલ કુરૈશના જિલ્લા અધ્યક્ષ શરીફે મુસ્લિમ સમુદાયને ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમોથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આમ નહીં થાય તો મુસ્લિમ સમુદાય ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ રસ્તા પર ઉતરીને વિરોધ કરશે.