દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે રાજકારણ ચરમસીમાએ છે. AAP MLA હોર્સ ટ્રેડિંગ કેસમાં દિલ્હી પોલીસની કાર્યવાહી ચાલુ છે. આ મામલે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા શનિવારે સીએમ અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને નોટિસ આપવામાં આવી હતી.
#WATCH | A team of Delhi Police Crime Branch officials present at the residence of Delhi Minister and AAP leader Atishi
Police officials are here to serve notice in connection with Aam Aadmi Party's allegation against BJP "of trying to buy AAP MLAs". https://t.co/M0HQgPOzpD pic.twitter.com/VU9QozNKAF
— ANI (@ANI) February 4, 2024
રવિવારે એસીપીના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાંચના મંત્રી આતિશીના ઘરે તેમને નોટિસ આપવા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રી આતિશી તેમના નિવાસસ્થાને નથી.હાલમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની એક ટીમ દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિશીના ઘરે હાજર છે.