જ્યારે બજારમાં ઘરાકી ન હોવા છતાં પણ ભાવમાં વધારો થાય તો સમજી લેવાનું કે કંઈક નવાજૂની છે. હાલમાં એવું જ કઈક થયું છે સીંગતેલના ભાવમાં. હાલ કોઈ તહેવાર કે બજારમાં ખરીદી નથી તેવા સમયે સીંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે સીંગતેલમાં નફાખોરી કરવા માટે નફાખોરો સક્રિય થઈ ગયા છે.
આજની જ વાત કરવામાં આવે તો આજે એક જ દિવસમાં 15 કિલોએ રૂ.100નો ભાવવધારો થયો છે જયારે કપાસિયા તેલમાં ધીમે-ધીમે ભાવવધારો થઈ રહ્યો તેમ 15 કિલોએ રૂ.20નો વધારો થયો છે. અત્યાર સુધીમાં મગફળીના પાક માટે સમયસર વરસાદ વરસ્યો છે છતાં કેમ આવું થાય એ પણ એક વિચારવા જેવી બાબત છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મગફળીના પાક માટે સમયસર વરસાદ વરસી રહ્યો છે.
જોકે ઉતારો કેવો આવશે તેનું હજું અનુમાન કરવામા આવ્યું નથી તેવા સમયે સીંગતેલોના નફાખોરો સક્રિય થયા હોય તેમ ભાવમાં વધારો થવા માંડયો છે. આજની જ વાત કરવામાં આવે તો જ્યારે આજે બજાર ખુલ્યું ત્યારે સૌ કોઈ ચિંતામાં પડી ગયા હતા. કારણ કે સીંગતેલના 15 કિલોના ભાવ રૂ.2900 બોલાયા હતા જે સોમવારે બંધ બજારે રૂ.2800 હતા. આમ એક જ દિવસમાં રૂ.100નો વધારો થયો છે.