India News: ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર એક મોટો રોડ અકસ્માત થયો છે. જ્યાં મુસાફરો ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર વાહન કાબુ બહાર જઈ અલકનંદા નદીમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં લગભગ 10 લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ અકસ્માત બદ્રીનાથ હાઈવે પર રેંટોલી પાસે થયો હતો, જ્યાં તપોન ટ્રાવેલરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને નીચે પટકાઈને અલકનંદા નદીમાં પડી હતી. ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો મદદ માટે બૂમો પાડવા લાગ્યા. જે બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.
जनपद रुद्रप्रयाग में टेम्पो ट्रैवलर के दुर्घटनाग्रस्त होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ। स्थानीय प्रशासन व SDRF की टीमें राहत एवं बचाव कार्यों में जुटी हुई है। घायलों को नज़दीकी चिकित्सा केंद्र पर उपचार हेतु भेज दिया गया है। ज़िलाधिकारी को घटना की जाँच के आदेश दे दिए…
— Pushkar Singh Dhami (@pushkardhami) June 15, 2024
અહેવાલો અનુસાર ટ્રાવેલરમાં લગભગ 17 મુસાફરો હતા, ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નદીના જોરદાર પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એસપી ડૉક્ટર વિશાખા અશોક ભદાનેએ આ અકસ્માતની પુષ્ટિ કરી છે. ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. એમઆરએફ અને એનડીઆરપીની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
સોનાક્ષી સિંહાના લગ્નની અંદરની વિગતો બહાર આવી, સેલિબ્રેશન અંબાણી કરતાં જરાય ઓછું નહીં હોય!
માત્ર 14 દિવસમાં ડુંગળીના ભાવ 50% વધ્યા, ચૂંટણી પૂરી થતા જ ભડકો થયો, જાણો હજુ કેટલા વધશે?
સરકાર બનતાની સાથે જ બેંક કર્મચારીઓની બલ્લે બલ્લે, 16% DA વધારાની ભેટ, ફટાફટ જાણી લો ફાયદાની વાત
સીએમ પુષ્કર સિંહ ધામીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું – ‘રુદ્રપ્રયાગ જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઈશ્વર મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારજનોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.