Exclusive: 15,000 હાર્ટ ઓપરેશન કરનાર ડો. ધીરેન શાહે જણાવ્યા હાર્ટ એટેકથી બચવાના ઉપાયો, એક પગલાથી બેફામ વધતાં મોત ઘટી જશે!!

Lok Patrika
By Lok Patrika
Share this Article

અલ્પેશ કારેણા ( અમદાવાદ ): હાલમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ગુજરાત અને આખા ભારતમાં બેફામ વધી રહ્યા છે. ત્યારે જેમણે 15000 કરતાં વધારે હાર્ટ ઓપરેશન કર્યા અને ગુજરાતમાં પ્રથમ વખત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું એવા સિમ્સ હોસ્પિટલના ફાઉન્ડિંગ ડાયરેક્ટર ડોક્ટર ધીરેન શાહે હાર્ટ એટેકથી બચવા અને બાળકોને સારું જીવન આપવાના અનેક ઉપાયો બતાવ્યા છે. જો જીવનમાં આપણે એવી જીવનશૈલી અપનાવશું તો 100 ટકા આપણે આવા ગંભીર જીવલેણ કિસ્સાઓને ઓછા કરી શકીશું અને આપણું સ્વાસ્થ્ય પણ સાચવી શકીશું.

ડોક્ટર ધીરેન શાહે બચવાના કારણો વિશે જણાવ્યું કે ભારતના લોકોની તાસીર એવી જ છે એટલે કેસ તો બનવાના જ છે પરંતુ જો જીવનશૈલી બદલો તો 50-60 વર્ષે આવે એટલે કે થોડી મોડી તકલીફ થાય એવું કરી શકીએ. અસલી ખાવાનું રાખો, જેમ કે રોટલા, શાક, ઘી ગોળ.. ભલે અલગ રીતે ખાઓ પણ પેટમાં નાખો. હાલમાં બાળકોને મોર્ડન ખાવાની આદત પડી ગઈ છે તો તમે ઘી ગોળને એ રીતે મોર્ડન ટચ આપીને બાળકોને ખવડાઓ અને તમે પણ ખાઓ.

તમારા શરીરને માયકાંગલુ ન બનવા છો. શારિરીક રીતે બધું જ ધ્યાન રાખો. રોજ કસરત કરો. વધારે નહીં તો કંઈ નહીં પણ માત્ર 1 કલાક કસરત કરો. પરિવાર એકસાથે કરે તો તો સૌથી વધારે સારું. કારણ કે બાળક જોઈશે તો શીખશે કે મારે પણ કસરત કરવી જોઈએ. સાયકલિંગ, વોકિંગ, જોકિંગ, વગેરે જીવનમાં રાખો.

હાલમાં લોકો ઘરમાં જ પુરાઈને રહે છે, લોકો એકબીજા સાથે દુ:ખ વહેચતા નથી, હળી મળીને રહેતા નથી… જે 100 વર્ષ જીવે એમનું તમે જીવન જોજો તો ખ્યાલ આવશે કે એમની સોશિયલ લાઈફ સરસ હોય છે. વ્યસન કરતાં પણ લોકો ઘરમાં પુરાઈને રહે છે એટલે કે સોશિયલ આઈસોલેશન હાલમાં માણસો માટે ગંભીર રોગોનું કારણ બની ગયું છે અને જેના કારણે લોકોના શરીરની પથારી ફરી ગઈ છે.

અનેક રોગોનું ઘર બની જાય છે. સોશિયલ આઈસોલેશનમાંથી બહાર નીકળો. બને એટલું બાળકોને બહાર રાખો અને લોકો સાથે રાખો.. લાંબુ જીવવા માટે બહાર નીકળું ખુબ જરૂરી છે. રોજની એક બે કલાક એવું જીવો કે તમારા માટે અને તમારા આનંદ માટે જીવો. કોઈને મદદ કરો અને કોઈની સેવા કરો જેથી અસલી આનંદ મળે.

આગળ વાત કરતાં ડોક્ટર ધીરેન શાહે વાત કરી કે તમારી વર્ક લાઈફ બેલેન્સ કરો. સ્ટ્રેસ લેવલ તો હશે પણ નોકરીથી પુરી કરો પછી સ્ટ્રેસ ના લો. બાકીના કલાકો આનંદમાં રહો, મનગમતી એક્ટિવીટી કરો. આ બધાથી શરીરમાં નવી જ એનર્જી આવશે. ઉંઘની પણ જરૂર હોય એટલી લઈ જ લો. 2 કલાક એવા કાઢો કે જીવનને આનંદમાં રાખી શકાય.

બધું બેલેન્સમાં રાખો. જ્યારે પણ લાગે કે દબાણ વધી ગયું તો ફ્રેશ થઈ જાઓ. મીની વેકેશન પર નીકળી જાઓ. કોરોના આવ્યો અને લાખો લોકો મર્યા, પરંતુ હદૃયની બિમારીથી ચાર ગણાથી વધારે લોકો મરી રહ્યા છે. પરંતુ કોઈ સિરિયલી લેતા નથી. સરકારે પણ કંઈક એવા પગલા લેવા પડશે અને રણનીતી ઘડવી પડશે કે જેથી લોકોની જીવનશૈલી બદલી શકે અને આ ભયંકર રોગમાંથી બચી શકીએ.

2000ની નોટની ડેડલાઈન પુરી, તમારી પાસે હજુ પણ હોય તો ચિંતા ન કરતાં, અમદાવાદમાં આ જગ્યાએ બદલી જશે

આ રાજ્યોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ ખાબકશે, IMDએ જાહેર કર્યું એલર્ટ, વાદળો કાળા ડિંબાગ થઈ ગયાં!

આ 3 રાશિઓના ઘરે દસ્તક આપવા આવી રહી છે માતા લક્ષ્મી, 29 નવેમ્બર સુધી થશે બેહિસાબ ધનનો વરસાદ

જ્યારે અમેરિકામાં 1978માં હાર્ટ એટેકના કિસ્સા ચરમ સીમાએ પહોંચ્યા હતા ત્યારે પણ ત્યાંન સરકારે ખૂબ સરસ પગલા લીધા હતા. કારણ કે ત્યાં બિમારી બધી ગઈ અને લોકો મરી રહ્યા હતા. સરકાર ખુબ એક્ટિવ થઈ અને પગલા લીધા એટલે ફરીથી બિમારી લેવલમાં આવી ગઈ. માટે આપણી સરકારે પણ નક્કર પગલા લેવા પડશે નહીંતર ભવિષ્યમાં કંઈક અલગ જ પરિણામ આવી શકે છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly