AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની દીકરીના સસરાએ જીવન ટૂંકાવ્યું, આ કારણે પોતાને જ ગોળી ધરબી દેતાં થયું મોત

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીની દીકરીના સસરાએ આત્મહત્યા કરી લીધી છે. ઓવૈસીના વેવાઈ મઝહરુદ્દીન અલી ખાન વ્યવસાયે ડૉક્ટર હતા. આ ઘટના પછી તરત જ તેને એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા. હોસ્પિટલે જણાવ્યું કે મઝહરુદ્દીનને સોમવારે બપોરે 2 વાગ્યે હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા પરંતુ તેનું મોત થયું હતું.

ઓવૈસીની દીકરીના સસરાએ આત્મહત્યા કરી લીધી

પોલીસનું કહેવું છે કે મઝહરુદ્દીન ખાન AIMIMના વડા ઓવૈસીની બીજી પુત્રીના સસરા હતા. તેઓ ઓર્થોપેડિક નિષ્ણાત હતા. તેણે 27 ફેબ્રુઆરીએ પોતાના ઘરે લાયસન્સવાળા હથિયાર વડે ગોળી મારી હતી. આનું કારણ પારિવારિક વિવાદ જણાવવામાં આવી રહ્યું છે. તેના મૃતદેહને ઓસ્માનિયા જનરલ હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યો છે.lokpatrika advt contact

પારિવારિક વિવાદ બન્યો મોતનુ કારણ

મૃત્યુની પુષ્ટિ કરતા હૈદરાબાદ વેસ્ટ ઝોનના ડીસીપી જોએલ ડેવિસે જણાવ્યું હતું કે સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે મઝહર નામના ડૉક્ટરે પોતાની લાઇસન્સવાળી બંદૂકથી પોતાને ગોળી મારી દીધી હતી. પરિવારના સભ્યો તેને એપોલો હોસ્પિટલમાં લઈ આવ્યા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તેની ઓળખ 60 વર્ષીય મઝહર તરીકે થઈ છે. આપઘાતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

ડૉક્ટરે પોતાની લાઇસન્સવાળી બંદૂક કરી આત્મહત્યા

તેમણે કહ્યું કે ક્રાઈમ સીન પર પહોંચેલી ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા અને જાણ થઈ કે માત્ર એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. પરિવારના સભ્યો અને મૃતક વચ્ચે મિલકત બાબતે ઝઘડો ચાલતો હતો. તેની સામે ઘરેલુ હિંસાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. પોલીસે હથિયાર કબજે કર્યું છે. આ સાથે ઘટના સમયે ઘરમાં હાજર લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.

મિલકત બાબતે હતો ઘરમા ઝઘડો

રિપોર્ટ અનુસાર ઘટના સમયે મઝહરુદ્દીન ઘરે એકલો હતો. કેટલાક સંબંધીઓ તેને સતત ફોન કરી રહ્યા હતા પરંતુ તે ફોનનો જવાબ આપી રહ્યો ન હતો. આ પછી કેટલાક સંબંધીઓ તેના ઘરે પહોંચ્યા, જ્યાં તે લોહીથી લથપથ જોવા મળ્યો. ડો. મઝહરુદ્દીનના પુત્રએ 2020માં ઓવૈસીની બીજી પુત્રી સાથે લગ્ન કર્યા હતા.

Breaking: મોડી રાત્રે વલસાડ GIDCમાં મોટો બ્લાસ્ટ, ભયંકર આગ ફાટી નીકળ, આટલા લોકોના કરૂણ મોતથી ચિચિયારી

અદાણી ગૃપને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો, આ વિદેશી કંપનીએ અદાણી ગ્રૂપમાંથી બધું જ ફંડ પાછુ ખેંચી લીધું

182માંથી 156 બેઠકોથી અસંતુષ્ટ છે BJPને જીતાડનાર પાટીલ, હિંમતનગરમાં એવો ઘા માર્યો કે વિપક્ષની ઊંઘ હરામ કરી નાખી

અસદુદ્દીન ઓવૈસી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેઓ 2004થી સતત હૈદરાબાદથી સાંસદ બની રહ્યા છે. ઓવૈસીના સત્તાવાર બંગલા પર કથિત રીતે અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ દરમિયાન ઘરની નજીકથી કેટલાક પથ્થરો મળી આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા લોકોએ તેમને ઓવૈસીના ઘરે ફેંકી દીધા હતા.


Share this Article