વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પહેલીવાર નવી સંસદના સભ્યોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે મહિલા અનામત બિલ વિશે વાત કરી. તેમણે કહ્યું કે આ બિલનું નામ ‘મહિલા વંદન અધિનિયમ’ હશે. હકીકતમાં સોમવારે સાંજે કેન્દ્રીય કેબિનેટમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી સ્પષ્ટ થઈ ગયું કે આ બિલ ટૂંક સમયમાં લોકસભામાં રજૂ કરવામાં આવશે.
નવી સંસદમાં પોતાના પ્રથમ ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે આ સમય મહિલાઓ માટે ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. મહિલા અનામતને લઈને ઘણી ચર્ચાઓ થઈ છે. મહિલા અનામત બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. તેમણે કહ્યું કે આજે અમારી સરકાર બંધારણ સંશોધન બિલ રજૂ કરવા જઈ રહી છે.
આજે ગણેશ ચતુર્થીમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, ગુજરાતના આટલા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીથી તબાહી
જેના દ્વારા મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં અનામત મળશે. મહિલા અનામત બિલ અગાઉ પણ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ભગવાને મને કેટલાક પવિત્ર કાર્ય માટે પસંદ કર્યો છે.