બિપરજોય વાવાઝોડાના ખતરાને જોતા ત્રણેય રાજ્ય સરકારો એલર્ટ મોડ પર છે. જોકે હવે વાવાઝોડાની અસર એશિયાટીક સિંહો માટે પ્રખ્યાત ગીરના જંગલ પર જોવા મળી રહી છે. બીચ નજીક 100 સિંહોનું કાયમી રહેઠાણ છે. આ સિંહોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ગુજરાતમાં 300 ટ્રેકર દ્વારા સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ટ્રેકર્સની મદદથી સિંહો માટે સંભવિત ખતરા અગાઉથી શોધી શકાય છે. જેનાથી સમયસર સિંહોના જીવ બચાવી શકાશે.
હાલમાં માહિતી મળી રહી છે કે વાવાઝોડાને કારણે 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વનવિભાગ દ્વારા કોઈ વન્ય જીવને નુકસાન ન થાય તે માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોખમને ધ્યાનમાં રાખીને વાવાઝોડા દરમિયાન ગીરના જંગલમાં કોઈને ન જવા દેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો
દ્વારકા પર નહીં આવે બિપરજોય વાવાઝોડાનું સંકટ! મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા, જાણો ચોંકાવનારું કારણ
ખતરનાક વાવાઝોડું બિપોરજોય આજે સવારે 8.30 વાગ્યે દેવભૂમિ દ્વારકાથી દક્ષિણપશ્ચિમમાં 280 કિલોમીટર દૂર હતું. જ્યારે પોરબંદરથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 300 કિલોમીટર દૂર છે. જખૌ બંદરથી વાવાઝોડું 310 અને નલિયાથી 330 કિલોમીટરના અંતર પર છે. વાવાઝોડું 15મી જૂનની સાંજની આસપાસ નલિયા બંદર પાસે ટકરાઈ શકે છે. જો કે હવે નવા સમાચાર સામે આવ્યા છે કે વાવાઝોડું 10 કિલોમીટર પાછું વળી ગયું છે એટલે કે 10 કિમી નજીકના બદલે દૂર જતું રહ્યું છે.