ગુજરાતમાં બનાવટી ખાદ્ય વસ્તુનો રાફડો ફાટ્યો, મહેસાણામાંથી બનાવટી જીરુંનો 31,000 કિલોગ્રામ જથ્થો કરાયો જપ્ત

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા ખાતેથી આશરે રૂ. 89 લાખની કિંમતના 31,00 કિલોગ્રામ જેટલો બનાવટી જીરાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મહેસાણા ટીમ દ્વારા બાતમીના આધારે ઊંઝાના ગંગાપુરા રોડ ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ કરતા વેપારી ધર્મેન્દ્ર પટેલ દ્વારા સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં મિક્ષ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જણાયું હતું.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ. જી. કોશિયાને પ્રાથમિક ધોરણે માહિતી મળતાં જીરામાં ભેળસેળ કરતા હોવાનું જણાતા સ્થળ પરથી “ગોળ ની રસી”નો 643 લીટર જથ્થો, “મિક્ષ પાઉડર”નો 258 કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો 5,298 કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો 24,718 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે.

આ સ્થળ પરથી જીરું, ગોળની રસી (એડલટ્રન્‍ટ), મિક્ષ પાઉડર અને વરિયાળી મળીને કુલ 4 નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે તમામ જથ્થો મળી આશરે રૂ. 89 લાખની કિંમતનો 31,000 કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.

મોરબીની અશ્લીલ હરકત, બેડરૂમમાં કરવાનું કામ રિક્ષામાં કરવા લાગ્યા આ ગળાડૂબ પ્રેમીઓ, પંથક આખું શર્મસાર

સતત 28 વર્ષથી નિરાધારની બેલી માનવ સાધના સંસ્થાનું કાબિલ-એ-દાદ કાર્ય, 3 રાજ્યમાં સેવાની સરવાણી વહાવી, 140 લોકોની અડીખમ ટીમ

લગ્નનો વરઘોડો આવાનો હતો.. બાથરૂમમાંથી મળી દુલ્હનની લાશ, ખુશી માતમમાં ફેરવાઈ.. આ ઘટના તમને ચોંકાવી દેશે

આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.


Share this Article