દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે બે દિવસ અગાઉ બે ધજા એક સાથે ચડાવામાં આવી હતી. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી. જેથી બપોરે એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે. બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે ભારે પવનના કારણે દ્વારકાધીશના જગત મંદિર પરની 52 ગજની ધજા ખંડિત થઈ ગઈ છે. તેજ પવન અને વરસાદના કારણે 2 દિવસથી હાલ કોઈ નવી ધજા મંદિરના શિખર પર ચડી નથી, ત્યારે હાલ શિખર પર લેહરાતી ધજા ખંડિત થઇ છે. પૌરાણિક માન્યતા મુજબ ધજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોઈ શકે છે.
તો આ તરફ પણ ઈતિહાસ પલટાયો છે અને સતત બીજા દિવસે પણ દ્વારકાધીશના મંદિરે ધજા ચડાવવામાં આવશે નહી. ભારે પવન અને વરસાદના કારણે ગઈકાલે ધજા ચડાવવામાં આવી નહોતી. જ્યારે આજે પણ મંદિરે કોઈ ધજા ચડાવવામાં આવશે નહીં એવા સમાચાર સામે આવી રહ્યા છે. બિપોરજોય વાવાઝોડાના કારણે દ્વારકા જિલ્લામાં ઇતિહાસ બદલતી ઘટનાઓ સામે આવી રહી છે. દ્વારકાધીશમાં પટરાણી રૂક્ષ્મણી માતાજીના મંદિરની ધજા તૂટ્યા બાદ ગઈકાલે દ્વારકાધીશ મંદિરે કોઈ ધજા ચડાવવામાં આવી નહોતી. મંદિરના તંત્ર દ્વારા આજે પણ ધજા ન ચડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. તૌકતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી હતી. બે ધજા સાથે ચડવાથી દ્વારકા પરનું સંકટ ટળી જતું હોવાની લોક માન્યતા છે. ત્યારે આવતી કાલે જોવાનું રહ્યું કે શું થાય છે.