સવાર સવારમાં અમદાવાદના નવ લોકોને જીવતા ભૂસી નાખનાર રાજકોટનો તથ્ય પટેલ કોણ છે? જાણો કરનામાની આખી કુંડળી

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: શહેરના ઇસ્કોન બ્રિજ પર એક હચમચાવી દે તેવો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં બે પોલીસકર્મી સહિત નવ લોકોના મોત થયા છે. ઇસ્કોન બ્રિજ પર એસયુવી કાર અને ડમ્પર વચ્ચે પહેલા ટક્કર થઇ હતી. આ અકસ્માતને જોવા માટે ટોળું ભેગુ થયું હતુ. જે બાદ પૂરપાટ સ્પીડે આવતી જેગુઆર કારે અકસ્માત જોતા લોકોને કચડી નાંખ્યા હતા. આ જેગુઆર કાર ચલાવતો નબીરો તથ્ય પટેલ હાલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

 

Ahmedabad news, Iscon bridge accident


Share this Article