હાલમાં રાજકારણમાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભાજપના ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવાની સુચના એ રાજકીય માહોલ ગરમ કરી દીધો છે. જો કો ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી માહોલ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે કે, જેમ કે સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે મંત્રી મંડળમાં મોટો ફેરફાર થશે તો બીજી તરફ આ તમામ ચર્ચા વચ્ચે છેલ્લા ત્રણેક દિવસથી સચિવાલયનો માહોલ જ બદલાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. સચિવાલયમાં એક પ્રકારનો સન્નાટો મહેસૂસ થઈ રહ્યો છે.
આ તમામ માહોલ વચ્ચે ધારાસભ્યો સાથે સંકલન કરતા એક વિશ્વસનીય નેતાએ ધડાકો કર્યો છે અને કહ્યું છે કે તમામ ધારાસભ્યોને ગાંધીનગર ખાતે ત્રણ દિવસ હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છએ. આ તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મંત્રીઓને પણ કમલમ ખાતે હાજર રહેવાની સુચના આપવામાં આવી છે. એક તરફ વડાપ્રધાન ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવનાર છે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ તથા અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં હાજરી આપનાર છે. આ દરમિયાન વડાપ્રધાને બે કલાક જેટલો સમય અનામત રાખ્યો છે.
પરંતુ આ મુલાકાતને ખાસ માનવામાં આવે છે, કારણ કે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમિયાન રાખવામાં આવેલા અનામત સમયમાં વડાપ્રધાન ગુજરાતના વર્તમાન મંત્રી મંડળના તમામ સભ્યો સાથે એક બાદ એક રૂબરૂ મુલાકાત કરશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ભાજપ સરકાર હવે જેટ ગતિએ કામ કરી રહી છે. આવા સંજોગોમાં સરકારી કામગીરીની સમીક્ષા વડાપ્રધાન કરશે. તો વળી એક વાત એવી પણ છે કે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કાર્યકાળ આગામી જૂન માસમાં પૂરો થઈ રહ્યો છે. તેમનો કાર્યકાળ લંબાવશે કે પછી ઉચ્ચ પદ આપી સન્માનિત કરવામાં આવે તેવી વાત સંગઠનમાં ચર્ચાનો મુદ્દો છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે ભાજપ શું ધડાકો કરે છે.