આજના આ ખાસ પ્રસંગે સાળંગપુરમાં બનેલા ગુજરાતના સૌથી મોટા હાઈટેક શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનો આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી આજે હનુમાન જયંતી પર સાળંગપુરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે. દેશભરમાં ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. શાહની સાથે તેમનો પરિવાર પણ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યો છે. સાળંગપુરમાં અમિત શાહના આગમનની અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
સાથે જ વાત કરીએ તો આ પ્રસંગે શાહની સાથે પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા છે. બોટાદના વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું અનાવરણ હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ કરાયું હતું. 54 ફૂટ ઊંચી દિવ્ય મૂર્તિનું આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજની ઉપસ્થિતમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
અમિત શાહ પરિવાર સાથે આ વિશાળ હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિના દર્શન કરવા માટે પહોંચ્યા છે. આ દરમિયાન શાહે દાદાની પૂજા-અર્ચના પણ કરી છે. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના સૌથી વિશાળ હાઈટેક કષ્ટભંજનદેવ ભોજનાલયનું ઉદ્ઘાટન પણ કરાવ્યું છે. વહેલી સવારથી અહીં ભક્તોની ભીડ ઉમટી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને અહીં સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સાળંગપુર ધામમાં હાલમાં કંઈક અનોખો જ નજાનો જોવા મળી રહ્યો છે. સાળંગપુર ધામમાં ભગવાન શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન દેવ બિરાજે છે જે સૌની મનોકામના પુરી કરે છે.
અહીં હનુમાનજીની પંચધાતુની કષ્ટભંજન દેવની મુર્તીનું વિશાળ નિર્માણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. બોટાદમાં મંદિર પાસે સાળંગપુરના દાદાની મૂર્તી સ્થાપિત થશે એટલે કંઈક અલગ જ નજારો જોવા મળશે. 54 ફુટની આ વિશાળ પ્રતિમા 7 કિમી દુરથી પણ દેખાશે.
પંચધાતુમાંથી બનાવવામાં આવેલી આ મુર્તિના દર્શન કરીને દાદાના ભક્તો ધન્ય ધન્ય થઈ જશે. આ મુર્તિ મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવતે બનાવી છે. તેની અંદરનું સ્ટ્રક્ચર સ્ટીલનું છે. હરિયાણાના ગુરૂગ્રામમાં આ મૂર્તિ આકાર પામી હતી. અને આ મૂર્તિનો વજન 30 હજાર કિલો હશે એવું પણ સામે આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવી છે. ગમે તેવો ભુંકપ આવશે તો પણ અસર થશે નહી. પંચધાતુની થિકનેસ 7.0 એમએમ જેટલી છે.
આ મૂર્તિ – કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે. દાદાની આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળના જ્ઞાનજીવનદાસ સ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર પરિસરમાં સુંદર ભોજનલાયનું પણ નિર્માણ થયું છે. આખો પ્રોજેક્ટ 1,45,888.49 sq ftમાં ફેલાયેલો છે.
પ્રોજેક્ટના ડીઝાઈનની વાત કરીએ તો એંશિયન્ટ આર્કિટેક્ચર મુજબ કરાઈ છે. આ પ્રોજેક્ટ આર્કિટેક્ટ ચીરાગભાઈ ગોટીએ ડિઝાઇન કર્યો છે.
કિંગ ઓફ સાળંગપરુ પ્રોજેક્ટ 11 રોડના ખર્ચે તૈયાર થશે. અહીં દરરોજના 200-300 કારીગર દિવસના 8 કલાક કામ કરતા હતાં. 30 હજાર કિલોની મૂર્તિ 5,000 વર્ષ અડીખમ રહી શકે એ પ્રકારનું મજબૂત તેનું માળખું છે.