અમિત શાહે સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયનું કર્યું લોકાર્પણ, કિંગ ઓફ સાળંગપુરની પુજા અર્ચના પણ કરી

Lok Patrika
By Lok Patrika
Share this Article

આજના આ ખાસ પ્રસંગે સાળંગપુરમાં બનેલા ગુજરાતના સૌથી મોટા હાઈટેક શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનો આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી આજે હનુમાન જયંતી પર સાળંગપુરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે. દેશભરમાં ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. શાહની સાથે તેમનો પરિવાર પણ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યો છે. સાળંગપુરમાં અમિત શાહના આગમનની અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

સાથે જ વાત કરીએ તો આ પ્રસંગે શાહની સાથે પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા છે. બોટાદના વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું અનાવરણ હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ કરાયું હતું. 54 ફૂટ ઊંચી દિવ્ય મૂર્તિનું આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજની ઉપસ્થિતમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

અમિત શાહ પરિવાર સાથે આ વિશાળ હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિના દર્શન કરવા માટે પહોંચ્યા છે. આ દરમિયાન શાહે દાદાની પૂજા-અર્ચના પણ કરી છે. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના સૌથી વિશાળ હાઈટેક કષ્ટભંજનદેવ ભોજનાલયનું ઉદ્ઘાટન પણ કરાવ્યું છે. વહેલી સવારથી અહીં ભક્તોની ભીડ ઉમટી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને અહીં સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સાળંગપુર ધામમાં હાલમાં કંઈક અનોખો જ નજાનો જોવા મળી રહ્યો છે. સાળંગપુર ધામમાં ભગવાન શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન દેવ બિરાજે છે જે સૌની મનોકામના પુરી કરે છે.

salangpur hanumanji

 

 

અહીં હનુમાનજીની પંચધાતુની કષ્ટભંજન દેવની મુર્તીનું વિશાળ નિર્માણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. બોટાદમાં મંદિર પાસે સાળંગપુરના દાદાની મૂર્તી સ્થાપિત થશે એટલે કંઈક અલગ જ નજારો જોવા મળશે. 54 ફુટની આ વિશાળ પ્રતિમા 7 કિમી દુરથી પણ દેખાશે.

salangpur hanumanji

 

 

પંચધાતુમાંથી બનાવવામાં આવેલી આ મુર્તિના દર્શન કરીને દાદાના ભક્તો ધન્ય ધન્ય થઈ જશે. આ મુર્તિ મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવતે બનાવી છે. તેની અંદરનું સ્ટ્રક્ચર સ્ટીલનું છે. હરિયાણાના ગુરૂગ્રામમાં આ મૂર્તિ આકાર પામી હતી. અને આ મૂર્તિનો વજન 30 હજાર કિલો હશે એવું પણ સામે આવી રહ્યું છે.

salangpur hanumanji

 

 

 

ઉલ્લેખનીય છે કે 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવી છે. ગમે તેવો ભુંકપ આવશે તો પણ અસર થશે નહી. પંચધાતુની થિકનેસ 7.0 એમએમ જેટલી છે.

salangpur hanumanji

 

 

આ મૂર્તિ – કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે. દાદાની આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળના જ્ઞાનજીવનદાસ સ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર પરિસરમાં સુંદર ભોજનલાયનું પણ નિર્માણ થયું છે. આખો પ્રોજેક્ટ 1,45,888.49 sq ftમાં ફેલાયેલો છે.

salangpur hanumanji

 

 

પ્રોજેક્ટના ડીઝાઈનની વાત કરીએ તો એંશિયન્ટ આર્કિટેક્ચર મુજબ કરાઈ છે. આ પ્રોજેક્ટ આર્કિટેક્ટ ચીરાગભાઈ ગોટીએ ડિઝાઇન કર્યો છે.

salangpur hanumanji

 

 

કિંગ ઓફ સાળંગપરુ પ્રોજેક્ટ 11 રોડના ખર્ચે તૈયાર થશે. અહીં દરરોજના 200-300 કારીગર દિવસના 8 કલાક કામ કરતા હતાં. 30 હજાર કિલોની મૂર્તિ 5,000 વર્ષ અડીખમ રહી શકે એ પ્રકારનું મજબૂત તેનું માળખું છે.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly