BIG BREAKING :પેપરલીક મામલે ભુપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય, ગુનેગારોને એક કરોડનો દંડ અને 10 વર્ષની જેલ

Lok Patrika
By Lok Patrika
Share this Article

હાલમાં જ પેપર ફૂટવાનો મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો હતો. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવા જઈ રહી છે અને જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કાયદાનું બિલ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે.

આ સાથે જ માહિતી મળી રહી છે કે આ બિલને જાહેર પરીક્ષા અધિનિયમ બિલ નામ આપવામાં આવ્યું છે. ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 સરકાર લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે એવી માહિતી પણ સામે આવી રહી છે. જ્યારે આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત પણ કરવામાં આવશે. વિધેયકની કોપી ધારાસભ્યોને આપવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી દાખવશે તો કડક સજા કરવામાં આવશે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્ત કરી લેવામાં આવશે અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. સાથે ગુનાના દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી બે વર્ષ માટે બાકાત પણ રાખવામાં આવશે. વિધેયકમાં એ પણ માહિતી છે કે ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા ભોગવવી પડશે. તો વળી પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી થઈ શકશે નહીં. પેપરલીક કેસની તપાસ DySP કક્ષાના અધિકારી કરે તે ઈચ્છનીય છે.

સોનાના ભાવમાં ભારે ઘટાડો: લગ્નની સિઝન અને ભાવમાં કડાકો, મોકા પર ચોકો મારવો હોય તો ખરીદી લો

BREAKING: 50,50,50 સતત ત્રણ દિવસથી તેલના ભાવમાં રૂ. 50નો વધારો, હવે તેલનો ડબ્બો લેવાનું વિચારતા પણ ડરી જવાય છે

મૃત્યુદર 80 ટકા, કોરોના કરતાં સ્પીડમાં ફેલાઈ, હજારો લોકો ક્વોરેન્ટાઈન…. હવે નવા વાયરસથી દુનિયામાં તબાહી શરૂ

આ કાયદામાં એ પણ ઉલ્લેખ છે કે જો દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત થઈ શકશે. પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જોગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે.

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly