છેલ્લાં થોડા સમયથી ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા એકાદ વર્ષથી અચાનક જ ઢળી પડવાના કિસ્સા અને વીડિયો સામે આવ્યા છે અને લોકો ચોંકી ગયા છે. અનેક કિસ્સાો વચ્ચે આજે ફરી દુખદ સમાચાર સામે આવ્યા છે. PSI પ્રવિણ અસોડાનું સર્કિટ હાઉસ ખાતે હાર્ટઅટેક આવતા નિધન થયું છે.
વિગતે વાત કરીએ તો PSI પ્રવિણ અસોડાનું સર્કિટ હાઉસ ખાતે હાર્ટઅટેક આવતા નિધન થયું છે. PSI પ્રવિણ અસોડાનું 10 મહિના પહેલા જ અમદાવાદથી પ્રમોશન સાથે બોટાદમાં બદલી થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ફરજ પરથી પરત ફર્યા બાદ સર્કિટ હાઉસ પહોંચતા હાર્ટ એટેક આવ્યો હતો. PSI અસોડાના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. આવી દુખદ ઘટનાના કારણે બોટાદ જિલ્લા પોલીસ બેડો શોકમગ્ન થયો છે.
માસ્કની જરૂર નથી, આખા દેશમાં મોકડ્રીલ… કોરોના પર આરોગ્ય મંત્રાલયની બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યા?
ત્યારે આપણે જો હાર્ટઅટેકથી બચવાના ઉપાયો વિશે વાત કરીએ તો જંગ ફૂડથી દૂર રહેવુ જોઈએ. કોલેસ્ટ્રોલવાળા ફૂડથી પણ દૂર રહેવુ જોઈએ. નિયમિત અને સંતુલિત આહાર લેવાનું રાખો. મલ્ટિગ્રેન ડાયટ ફોલો કરો. બિમારીઓનું રેગ્યુલર ચેકઅપ કરાવો. ધ્રુમપાન છોડવો. નિયમિત કસરત કરો. બ્લડ પ્રેસર અને સુગર લેવલ તપાસતા રહો. એ જ રીતે હાર્ટ એટેક પાછળના કારણો કંઈક એવા છે કે તણાવપૂર્ણ લાઇફ સ્ટાઇલ હોય, તંબાકૂનું સેવન કરતા હોય, રેગ્યુલર ચેકઅપ ન કરાવવતા હોય, અનિયમિત ઉંઘ થતી હોય, કસરતનો અભાવ જોવા મળતો હોય, બિમારીઓનું રેગ્યુલર ચેક અપ ન કરાવતા હોય એવા લોકોમાં આવું જોખમ વધારે રહે છે.