સુરતમાં BRTS બસ ડ્રાઈવરે સર્જો અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ, 10 લોકો સારવાર હેઠળ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Surat News: સુરતમાં અવારનવાર સરકારી BRTS બસોની દુર્ઘટનાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે આજે ફરી એકવાર સુરતના કતારગામ વિસ્તારના અશ્વિની કુમાર બ્રિજ પાસેના ગજેરા સર્કલ પાસે ઈલેક્ટ્રિક બસ અથડાતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યું છે. જ્યારે 9 ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી નાંખી હતી.

સુરતમાં કતારગામ વિસ્તારમાં BRTS બસે એક મોટો અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માતમાં બને બસોની વચ્ચે પાંચ જેટલી બાઈક દબાઈ ગઈ હતી. જેમાં 5થી વધુ લોકોને ગંભીર ઇજા થઈ છે. આ અકસ્માતથી ઇજા પહોંચતા 9 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે, 7 લોકોને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસો અથડાતા બને વચ્ચે આવેલી બાઇકોનું કચ્ચરઘાણ વળ્યું છે. આ ઘટનાની જાણકારી મળતાં જ ફાયરના જવાનો તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. મળતી માહિતી મુજબ, હાલ ઘટનાની ગંભીરતાને જોતા રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા હોસ્પિટલ પહોંચ્યા છે.

આજે સસ્તું સોનું ખરીદવાની છેલ્લી તક, ઘરે બેઠાં-બેઠાં ઓનલાઈન કરો રોકાણ, જાણો સરકારની સ્કીમની સંપૂર્ણ પ્રક્રિયા

ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ

જો કે, આ પહેલીવાર નથી જ્યારે સુરતમાં સીટી બસનો કહેર સામે આવ્યો હોય આ પહેલા પણ સીટી બસના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ઢોરની જેમ ફરતી BRTS બસે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે. આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, અને ટ્રાફિક જામ થયો હતો. આ ઉપરાંત ઉશ્કેરાયેલી ભીડે બસમાં તોડફોડ કરી હતી.


Share this Article