વારાણસી: આ સમયના મોટા સમાચાર યુપીના વારાણસીના છે જ્યાં જ્ઞાનવાપી કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. વારાણસીની જિલ્લા અદાલતે વૈજ્ઞાનિક ઢબે જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેની માંગને મંજૂર કરી છે. હિંદુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો અને વૈજ્ઞાનિક સર્વેક્ષણ (કાર્બન ડેટિંગ) માટે પરવાનગી આપી. જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી કેસમાં 7 કેસને ક્લબ કર્યા પછી, 14 જુલાઈના રોજ બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી, જેના પર જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
આ અરજી પર શુક્રવારે જિલ્લા ન્યાયાધીશે પોતાનો ચુકાદો આપ્યો હતો. વારાણસીની જિલ્લા અદાલતે ASI દ્વારા સમગ્ર જ્ઞાનવાપી કેમ્પસ (સીલ કરેલ વિસ્તાર સિવાય)ના વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર ચુકાદો આપતાં વૈજ્ઞાનિક સર્વેનો આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે, હિંદુ પક્ષે વૈજ્ઞાનિક પદ્ધતિથી જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના ASI સર્વેની માગણી અંગે અરજી આપી હતી, જ્યારે મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે હાઈકોર્ટના સ્ટે હોવા છતાં નીચલી કોર્ટ અમારા નિર્ણયને બાયપાસ કરીને ચુકાદો આપી રહી છે. વિરોધ તમને જણાવી દઈએ કે આ મામલામાં આ વર્ષે મે મહિનામાં શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજાને લઈને પાંચ મહિલાઓ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાદ જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે કરવામાં આવ્યો હતો.
હદ થઈ ગઈ પણ!! ક્લાસ રૂમથી લઈને બાથરૂમ સુધી કોન્ડોમના પેકેટ, પંચાયત ચૂંટણી પછી કેવી છે શાળાની હાલત?
આ તો નસીબ સારા કે આવું થઈ ગયું, બાકી તથ્ય પટેલના કારણે 9 કરતાં પણ વધારે જિંદગીઓ અસ્ત થઈ ગઈ હોત
રિપોર્ટમાં શિવલિંગની રચના મળી આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને હિંદુ પક્ષ વિશ્વેશ્વરનાથ જ્યોતિર્લિંગ કહે છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને ફુવારો કહે છે. જે બાદ હિંદુ પક્ષ તરફથી કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ અને ASI સુર્વેની માંગને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર શુક્રવારે જિલ્લા કોર્ટે ચુકાદો આપ્યો છે.