કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ચક્રવાત બિપરજોયના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા ભુજ પહોંચ્યા છે. અમિત શાહ ત્યાંના અધિકારીઓ સાથે વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે સમીક્ષા બેઠક કરશે.
Union Home Minister Amit Shah along with Gujarat CM Bhupendra Patel conducted an aerial survey of areas affected due to #CycloneBiporjoy, in Kachchh, Gujarat pic.twitter.com/cj52qtdFKU
— ANI (@ANI) June 17, 2023
અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરવાના છે. સાયક્લોન બિપરજોયની અસરથી કચ્છના ભુજમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. NDRFની ટીમો વૃક્ષો કાપવાનું કામ કરી રહી છે. ચક્રવાતી તોફાન બિપરજોય રાજસ્થાન અને પાકિસ્તાનના આંતરિક ભાગોમાં પહોંચ્યા બાદ નબળું પડ્યું છે.
#WATCH| Gujarat: Union Home Minister Amit Shah meets NDRF personnel in Kachchh district pic.twitter.com/XIQ84GM9dj
— ANI (@ANI) June 17, 2023
ગુજરાત વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગીરના જંગલમાં લગભગ 1,000 વૃક્ષો ધરાશાયી થયા છે. અને ભાવનગરમાં કિનારે ધોવાઇ ગયેલા બે કાચબા પૈકી એકને ગ્રામજનોએ બચાવી લીધો હતો. વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા એક કાચબાનું મોત નીપજ્યું હતું, અન્ય ઇજાગ્રસ્તને સારવાર માટે પાલિતાણા લઇ જવાયો હતો.
#WATCH | Gujarat: Union Home Minister Amit Shah met the people of Kathda village in Mandvi pic.twitter.com/22tdv4gqFm
— ANI (@ANI) June 17, 2023
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દ્વારકા, જામનગર અને કચ્છમાં ચક્રવાત બિપરજોયના કારણે 450 થી વધુ પક્ષીઓના મોત થયા છે. તેમણે કહ્યું કે તમામ એશિયાટિક સિંહો સુરક્ષિત મળી આવ્યા છે. ઘણા વિસ્તારોમાં, બગલા અને અન્ય પક્ષીઓ ભારે પવન દરમિયાન ઝાડ પરથી પડી ગયા અને મૃત્યુ પામ્યા.
આ પણ વાંચો
યુવાને 27 હજારનો નવો નકોર મોબાઈલ ખરીદ્યો, અઠવાડિયા પછી જ ભયંકર રીતે બ્લાસ્ટ થયો, મોત દેખાઈ ગયું
ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં ચક્રવાત બિપરજોયથી થયેલી તબાહીની સમીક્ષા કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે 5 વાગ્યે ભુજમાં પત્રકાર પરિષદને સંબોધશે.