Gujarat News: સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વિવાદિત ભીંત ચિત્રોને લઈ વિવાદ થતા તાત્કાલિકા ધોરણે વિવાદિત ભીંત ચિત્રો હટાવવામાં આવ્યા હતા.જે બાદ સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનેક સાધુ-સંતો નારાજ હતા.ત્યારે સોશ્યલ મીડિયા પર અત્યારે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના કથિત સાધુની કરતૂતો સામે આવી છે, આ કથિત સાધુએ સનાતન ધર્મ અને હિન્દુ દેવી-દેવતીઓ વિરુદ્ધ ઝેર ઓક્યુ છે. વીડિયોમાં દેખાઇ રહેલી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનું નામ આચાર્ય દિનેશ પ્રસાદ છે.
સોશ્યલ મીડિયામાં આ દિનેશ પ્રસાદ નામના વ્યક્તિ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે, સાધુના બફાટથી સનાતનીઓ ક્રોધે ભરાયા છે. વીડિયોમાં દિનેશ પ્રસાદ નામના આચાર્ય કહી રહ્યાં છે કે, તેઓ હિન્દુ ધર્મ અને સનાતનનો વિરોધ કરે છે, અને તેમની પાસે આવવું નહીં, સ્વામિનારાયણ ભગવાન હવે હિન્દુઓથી દુર થયા છે.વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ વધુમાં કહી રહ્યા છે કે, મુસ્લિમ, શીખ, ઈસાઈને સાથે રાખવા અને હિન્દુઓનો નો વિરોધ કરવા કર્યું આહવાન પણ કરાઇ રહ્યું છે.
હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ એલફેલ બોલી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્ય ધર્મના લોકોને જોડવા આહવાન કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દિનેશ પ્રસાદે વીડિયોમાં કહ્યું કે, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા થઇ છે, હું બધું દુઃખ પણ મટાડી દઉં છું.સ્વામિનારાયણ સંપ્રદાયનાં દિનેશ પ્રસાદનાં નિવેદન મુદ્દે જ્યોતિનાથ મહારાજ દ્વારા આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હવે હદ વટાવે છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનાં પ્રતિક વાપરવાનું બંધ કરે. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરોમાં સ્થાપિત કરેલા ભગવાન અમને સોંપી દો. તેમજ હવે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ દ્વારા કરવામાં આવતા બફાટને સાંખી નહી લેવાય.
આપને જણાવી દઈએ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના આચર્ય દિનેશ પ્રસાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેનાથી ફરી વિવાદ પ્રસરે તેવું લાગે છે. આ વીડિયોને લઈને સનાતનીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.