હવામાન વિભાગની નવી આગાહીથી ખેડૂતોમાં ખુશી, માવઠું ગયું, હવે 5 દિવસ સુધી ક્યાંય એક ટીંપુ વરસાદ નહીં પડે

Lok Patrika
By Lok Patrika
Share this Article

આજથી હવે માવઠું જતું રહ્યું છે અને હવે ગરમી વધવાની છે. આગામી 5 દિવસ માવઠાની કોઈ જ સંભાવના નથી. 29 માર્ચે વાદળછાયું વાતાવરણ રહી શકે એવી આગાહી કરવામા આવી રહી છે. તો વળી 3થી 4 ડિગ્રી જેટલું તાપમાન હવે વધી શકે છે. ખેડૂતો માટે આ એક રાહતના સમાચાર કહી શકાય. કારણ કે ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન થયું છે અને સરકારે ખાલી સર્વે કર્યો છે. કોઈ ચૂકવણી પણ કરી નથી.

તો બીજી બાજુ બેવડી ઋતુ બાદ બિમારીના કેસમાં મોટો વધારો થયો છે. સિવિલમાં કોરોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે ખાનગી ક્લીનિક અને નજારો પણ એવો છે કે જાણે લોકો લાઈનમાં ઉભા હોય. સ્ટીરોઈડ, પેઇનકિલર દવાઓ પણ અપાતી હતી. આ બેવડી ઋતુએ બાળકો અને વૃદ્ધોમાં વધારે અસર કરી હોવાના સમાચાર મળી રહ્યા છે.

ધ્યાનમાં રાખો કે, આ વરસાદ પછી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એપ્રિલ મહિનામાં કેટલીક બીમારીઓ ઝડપથી ફેલાઈ શકે છે. MCD દિલ્હીના પૂર્વ એડિશનલ MHO ડૉ. સતપાલ ન્યૂઝ18હિંદી સાથેની વાતચીતમાં કહે છે કે, 20 માર્ચથી દિલ્હી-NCR સહિત દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે. હોળી પછી લગભગ દર વર્ષે વરસાદ પડતો હતો, પરંતુ આ વખતે તે વધુ છે, અને મોડું થઈ રહ્યું છે. લોકો અત્યારે આ વરસાદને પસંદ કરી રહ્યા છે, પરંતુ એપ્રિલ મહિનામાં તે મોટી મુશ્કેલી સર્જી શકે છે.

માવઠાની આગાહી બાદ હવે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, રોગચાળો વધી રહ્યો છે. ધીમે ધીમે ગરમી વધશે. ગરમીના કારણે કફ અને વસંત ઋતુમાં વાયુ પ્રમાણ વધતું હોય છે. 18 માર્ચથી 20મી એપ્રિલ સ્વાસ્થય માટે દરેક લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ. કારણ કે કફ, શ્વાસની તકલીફના રોગોમાં વધારો થાય છે. જેના કારણે લોકોએ 21 માર્ચથી 20 એપ્રિલ સુધી સ્વાસ્થ્ય માટે વિશેષ કાળજી રાખવી જોઈએ એવું અંબાલાલે દરેક ગુજરાતીઓને સાવચેત કર્યા છે.

આખી દુનિયામાં હાહાકાર, એલિયન્સે 8 હજાર લોકોનું અપહરણ કર્યું! આ વ્યક્તિએ આપવીતી જણાવીને કર્યો ચોંકાવનારો દાવો

આખું જીવન રિચાર્જ અને ઇન્ટરનેટ વિના મફતમાં મનફાવે એટલી વાત કરો, એક રૂપિયો પણ ખર્ચ નહીં કરવો પડે

OMG! બાગેશ્વર બાબાનું એટલું બધી ચાલી ગયું કે વિરાટ કોહલી પોતાની માતા સાથે પહોંચ્યો ધીરેન શાસ્ત્રીના દરબારમાં?

જો એક જ શહેર માત્ર દિલ્હી-એનસીઆરમાં જ નહીં પરંતુ જે, વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યાં મોટી સંખ્યામાં મચ્છરજન્ય રોગચાળો થવાની શક્યતા છે. ડૉ.સતપાલે પણ કહ્યું કે કે, આ વરસાદ પછી એવી સંભાવના છે કે, 1 એપ્રિલથી મચ્છરોની મોટી ફોજ આપણી આસપાસ હશે. લાર્વામાંથી મચ્છર બનવામાં લગભગ 10 દિવસનો સમય લાગે છે. જેટલું પાણી વધુ જમા થશે તેટલા મચ્છરોની ઉત્પત્તિ થશે. જો આ વરસાદના હિસાબે જોઈએ તો એપ્રિલની શરૂઆતમાં જ લોકોને મચ્છરોનો ભોગ બનવું પડશે. આ પછી મચ્છરજન્ય રોગોમાં ઝડપથી વધારો થશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly