રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના પ્રથમ દિવસનું કલેક્શન જાહેર કરવામાં આવ્યું છે. જે રિપોર્ટ સામે આવ્યો છે તે જોઈને સ્પષ્ટપણે જાણી શકાય છે કે કિયારા અડવાણી અને કાર્તિક આર્યનની ફિલ્મને બકરીદનો પૂરો ફાયદો મળ્યો. જો કે, સરકારી રજા હોવા છતાં, ઓમ રાઉતના દિગ્દર્શિત સાહસ આદિપુરુષને પતનનો સામનો કરવો પડ્યો. આવો જાણીએ ગુરુવારે કઈ ફિલ્મે કેટલા કરોડની કમાણી કરી.
સત્યપ્રેમ કી કથા
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતાં વધુ કલેક્શન કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટનું માનવું હતું કે ફિલ્મ ‘શહજાદા’ની જેમ જ પહેલા દિવસે 6 થી 7 કરોડ રૂપિયાની કમાણી કરશે. પરંતુ, ઈદના કારણે ‘સત્યપ્રેમ કી કથા’એ શરૂઆતના દિવસે 9 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોઝિટિવ વર્ડ ઓફ માઉથને કારણે વીકેન્ડ પર ફિલ્મની કમાણી વધુ વધી શકે છે.
આ પણ વાંચોઃ
અંબાલાલે આખા દેશના ધબકારા વધારા દીધા, વર્લ્ડકપ ફાઇનલમાં વરસાદને લઈ કરી ઘાતક આગાહી, તમે પણ જાણી લો
આદિપુરૂષ
‘સત્યપ્રેમ કી કથા’ના આગમન સાથે ‘આદિપુરુષ’ની કમાણીમાં 41 ટકાનો ઘટાડો નોંધાયો છે. ફિલ્મે બુધવારે 1.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજી તરફ, સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મ ગુરુવારે માત્ર 0.90 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં સફળ રહી છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 281.98 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જો ફિલ્મ આ જ દરે કમાણી કરતી રહેશે તો ફિલ્મ માટે ભારતીય બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાની કમાણી કરવી મુશ્કેલ બની જશે.