Gujarat News: ગોપાલ ઈટાલીયા હાલમાં કોઈ ચર્ચામાં નથી આવ્યા, પરંતુ હવે આજે તેની ચર્ચા શરૂ થઈ છે. આમ આદમી પાર્ટીમા ખુબ સક્રિય રહેતા ગોપાલ ઈટાલિયાએ જીવનમાં એક નવી જ શરૂઆત કરી છે. તેમણે ગુજરાત હાઈકોર્ટમાં વકિલાત શરૂ કરી છે. આવું અમે નથી કહેતા પણ ખુદ ગોપાલ ઈટાલીયાએ કહ્યું છે.
ગોપાલ ઈટાલીયાએ પોસ્ટ કરી અને લખ્યું કે-….
ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ ગોપાલ ઈટાલીયા
નવો યુનિફોર્મ, નવી જવાબદારી, નવો રસ્તો અને નવા સપનાઓ સાથેની આ નવી મુસાફરીના અત્યંત ગૌરવપૂર્ણ પ્રસંગે આપ તમામ મિત્રોના આશિર્વાદ મને મળશે એવી આશા.
મેં મારા જીવનમાં પોલીસ તરીકે કોર્ટ જોઈ હતી, ખોટી એફઆઈઆરમાં આરોપી તરીકે કોર્ટ જોઈ હતી પરંતુ જીવનમાં પ્રથમ વખત એડવોકેટ તરીકે અદાલતમાં હાજરી આપી.
હાઈકોર્ટ એડવોકેટના યુનિફોર્મમાં એક અલગ જ પ્રકારના ગૌરવની અનુભૂતિ થાય છે. જીવનના અનેક ચડાવ ઉતાર જોયા પછી આ નવા યુનિફોર્મ સાથેની નવી જવાબદારીવાળી નવી મુસાફરીમાં આપ તમામ દોસ્તોનો પ્રેમ અને આશિર્વાદ મને મળશે એવી આશા રાખું છું.
તો શું હવે કેનેડા આવવા અને જવા પર જ પ્રતિબંધ લાગી ગયો? અહીં જાણો તમને મુંઝવતા દરેક પ્રશ્નનો જવાબ
જસ્ટિન ટ્રુડો પર ભારતીય દબાણની અસર દેખાઈ, હિન્દુઓ વિશે કહી દીધી આ મોટી વાત, આખી દુનિયામાં ચર્ચા
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનું વલણ ઢીલું થઈ ગયું, ભારતને ‘મહત્વનો ઊભરતો દેશ’ ગણાવી બે મોઢે વખાણ કર્યાં!
આ તબક્કે મારા પરિવાર, મારા મિત્રો, મારા શુભચિંતકો, મારા રાજકીય સમર્થકો, આમ આદમી પાર્ટી લીગલ ટીમ અને દરેક સંઘર્ષમાં મને અતૂટ સાથ આપનાર મારા કેટલાક અનામી સ્નેહીઓનો હું ખુબ ખુબ આભારી છું.