દરેક ભાઈ બહેન જે તહેવારની રાહ જોઈને બેઠા હોય એ તહેવાર હવે નજીક આવી રહ્યો છે. 2023 એટલે કે આ વર્ષે રક્ષાબંધન 2 દિવસ ઊજવવામાં આવશે. ત્યારે આ વખતે રાજ્ય સરકારે રક્ષાબંધનનાં દિવસે રજા જાહેર કરી છે. જેથી 30 મી ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા રક્ષાબંધનની જાહેર રજા રહેશે. તા. 30 નાં રોજ તમામ સરકારી કચેરીઓ રક્ષાબંધનનાં દિવસે બંધ રહેશે જેની તમામે નોંધ લેવી.
રક્ષાબંધનના તહેવાર પર બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. લોકો રક્ષાબંધનની રાખડી આખા વર્ષ દરમિયાન રાખે છે, જ્યારે કેટલાક તેને રક્ષાબંધનના બીજા જ દિવસે ઉતારી લે છે. રાખડી ક્યાં સુધી બાંધી શકાય? રાખડી ક્યારે છોડી નાખી ઉતારવી જોઈએ અથવા રાખડી ઉતારવાનો સમય શું છે? આ પ્રશ્ન તમારા મનમાં આવતો જ હશે. આજે આપણે જાણીએ કે રાખડી ક્યારે ઉતારવી જોઈએ અને ક્યાં વિસર્જિત કરવી જોઈએ.
ગુજરાતમાં ક્યાંય વરસાદ આવે એવા એંધાણ નથી, કોઈ સિસ્ટમ જ નથી… હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતાતુર
કાશીના જ્યોતિષી ચક્રપાણિ ભટ્ટ જણાવે છે કે શાસ્ત્રોમાં રાખડી ઉતારવા માટે કોઈ નિશ્ચિત દિવસ કે સમય નક્કી નથી. રક્ષાબંધન પછી 24 કલાક પછી રાખડી ઉતારવી જોઈએ. આખા વર્ષ સુધી રાખડી બાંધવામાં આવતી નથી. આખું વર્ષ રાખડી બાંધી રાખો તો દોષ થાય છે. તે અશુદ્ધ બની જાય છે. રાખડીના થોડા દિવસો પછી પિતૃપક્ષ શરૂ થાય છે, જો તમે તેમાં રાખડી પહેરો તો તે અશુદ્ધ થઈ જાય છે. અશુદ્ધ વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે, તે પહેરવામાં આવતી નથી. અશુદ્ધિ નકારાત્મકતા પેદા કરે છે.