Gujarat News: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ગુજરાતના હવામાન અંગે નવી જ આગાહી લઈને આવ્યા છે. હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠાના વિસ્તારો તથા મઘ્ય ગુજરાતના અન્ય વિસ્તારોમાં 8થી 11 નવેમ્બરમાં માત્ર ઘાટા વાદળો થાય અને બીજી કોઇ અસર ન જોવા મળે તેવું અનુમાન છે.
માવઠા વિશેની આગાહી કરતાં પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, અરબી સમુદ્રની અસ્થિરતા ગુજરાતથી ઘણી દૂર છે પરંતુ 8થી 11 નવેમ્બર દરમિયાન આ અસ્થિરતા ગુજરાત નજીક પહોંચશે અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જોકે, આ માવઠા માટેનું લાંબુ અનુમાન કહેવાય આમાં પણ ફેરફાર થવાની ઘણી શક્યતાઓ હોય છે. આ માવઠાની તીવ્રતા વઘારે નહીં હોય. તેનાથી ચોમાસું પાકના પાછોતરું હાર્વેસ્ટિંગમાં નુકસાન થઇ શકશે નહીં.
8થી 11 નવેમ્બર દરમિયાન આગાહી કરતાં પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ તારીખોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેલી છે. આ માવઠાથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થશે.
રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠું થશે તે અંગે જણાવતા કહ્યુ છે કે, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદરના અમુક વિસ્તારો હશે તે વધારે પ્રભાવિત થઇ શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમં માવઠાની તીવ્રતા વધારે રહેશે.
તુલસીને પાણી ચઢાડાવતી વખતે અમિતાભ બચ્ચને કરી આટલી મોટી ભૂલ, યુઝર્સે જાટકણી કાઢી નાખી
સલમાન ખાનને સામે જોઈને ઐશ્વર્યા રાય થઈ અસ્વસ્થ, અધવચ્ચે જ પાર્ટી છોડીને બહાર આવી
સચિનનો રેકોર્ડ તોડવો મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે… સલમાને વિરાટની સામે આપ્યું આવું નિવેદન
આ વિસ્તારોમાં છૂટાછવાયા અને હળવા માવઠા થશે. આ ઉપરાંત દ્વારકા, જામનગર મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. કચ્છની વાત કરીએ તો વાગડ વિસ્તાર અને દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં વધારે ઘાટા વાદળો જોવા મળશે. આ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક એકલદોકલ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.