Big Breaking: ભારત-પાકિસ્તાન મેચને લઈ AMCનો મહત્વનો નિર્ણય, સ્ટેડિયમ આવવા-જવા માટેની 50 નવી બસ મુકાશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

cricket News: ભારત-પાકિસ્તાન મેચને લઈ AMCએ એક મહત્વનો નિર્ણય કર્યો છે જે અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. મેટ્રોની સાથે AMTS બસના રુટમાં વધારો કરવામાં આવ્યો છે અને સમાચાર છે કે સ્ટેડિયમ આવવા-જવા માટેની 50 નવી બસ મુકવામાં આવશે. મેચ પૂર્ણ થયા બાદ પણ AMTS બસો દોડશે જેથી લોકો સીધા ઘરે પહોચી શકે.

હાલમાં જ અમદાવાદ મહાનગર પાલિકાએ સ્ટેડિયમ સુધી 50 એક્સ્ટ્રા બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે. સવારે 8:30થી રાત્રે 1 વાગ્યા સુધી AMTS દોડશે. અચેર ડેપોથી વાસણા, મણિનગર, નારોલની બસ દોડશે જેથી ચારેકોરના દર્શકોને ઘરે પહોંચવામાં કોઈ તકલીફ ન પડે. અચેર ડેપોથી ઉજાલા સર્કલ સુધી બસ ચલાવાશે.

ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા આયોજીત વન ડે વર્લ્ડકપ 2023 (ODI World Cup 2023) રોમાંચક મેચોની સાથે આગળ વધી રહ્યો છે. ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચેની મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સ્થાનિક પોલીસે મેચને ધ્યાનમાં રાખીને પહેલેથી જ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.

આ મેચ માટે અમદાવાદ શહેરમાં તમામ સુરક્ષા એજન્સીઓના 11 હજારથી વધુ સ્ટાફ તૈનાત રહેશે. તેમાં કાઉન્ટર ટેરર ફોર્સ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી), રેપિડ એક્શન ફોર્સ (આરએએફ), હોમગાર્ડ અને ગુજરાત પોલીસનો પણ સમાવેશ થાય છે.

હવામાન વિભાગે ભૂક્કા બોલાવી નાખે એવી આગાહી કરી, વર્લ્ડ કપ અને નવરાત્રિમાં મેઘો મુશળધાર મંડાશે, લોકોમાં ફફડાટ

હમાસના આંતકી ખરેખર જાનવર જેવા છે, કચરાપેટીમાં છુપાયેલા લોકોને કાઢીને કાપી નાખ્યાં… પૂર્વ સૈનિકનો મોટો ખુલાસો

રાજકોટમાં યુવતીની હત્યા કરીને સળગાવેલી લાશ મળતાં આખું રાજ્ય ચોંકી ગયું, પોલીસ તાત્કાલિક તપાસમા લાગી ગઈ, શંકા છે કે….

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો હાજર રહેશે. આ સ્ટેડિયમની ક્ષમતા લગભગ 1.30 લાખ દર્શકોની છે અને ટિકિટો વેચાઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આ સ્ટેડિયમ ભરાઈ જશે. અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકના જણાવ્યા અનુસાર, મેચ દરમિયાન 7 હજારથી વધુ પોલીસકર્મીઓ અને 4,000 જેટલા હોમગાર્ડ તૈનાત રહેશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly