Cheteshwar Pujara Dropped IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12મી જુલાઈથી ટેસ્ટ શ્રેણી રમાશે. આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આમાં મોટો ફેરફાર જોવા મળ્યો. સિનિયર ખેલાડી ચેતેશ્વર પૂજારાને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમનો ભાગ નથી. પુજારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ સાથે જ અજિંક્ય રહાણેને ટીમમાં સ્થાન મળવાની સાથે વાઇસ કેપ્ટન્સી પણ મળી ગઈ છે.
NEWS – India’s squads for West Indies Tests and ODI series announced.
TEST Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Yashasvi Jaiswal, Ajinkya Rahane (VC), KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, R Jadeja, Shardul Thakur, Axar Patel, Mohd.… pic.twitter.com/w6IzLEhy63
— BCCI (@BCCI) June 23, 2023
પૂજારાએ છેલ્લી 10 ટેસ્ટ મેચમાં માત્ર એક જ અડધી સદી ફટકારી છે. તેણે આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે 8 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે 7, 0, 31, 1, 59, 42, 14 અને 27 રન બનાવ્યા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં તે ફ્લોપ સાબિત થયો હતો. પૂજારા આ મેચની પ્રથમ ઇનિંગમાં 14 રન અને બીજી ઇનિંગમાં માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 209 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે હારની સાથે ખિતાબ પણ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો
સબમરીન 170 ફૂટની ઊંડાઈમાં ડૂબી જતાં 60 લોકોના મોત, 18 મહિના પછી માત્ર એક મુસાફર જીવતો પાછો આવ્યો
પુજારાની બહાર થવાની સાથે જ ટેસ્ટ ટીમમાં અન્ય ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી છે. યશસ્વી પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમનો ભાગ હતો. પરંતુ તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શક્યો ન હતો. ભારતે પણ ઈશાન કિશન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેએસ ભરતને પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. અજિંક્ય રહાણેએ શાનદાર વાપસી કરી છે. તેને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. રહાણેએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં અસરકારક પ્રદર્શન કર્યું હતું.