ક્રિકેટ જગતના મોટા સમાચાર: IPL 2023 માંથી રોહિત-કોહલી અને હાર્દિકનું પત્તુ કપાયું, BCCIની બેઠકમાં મોટો નિર્ણય

Lok Patrika
By Lok Patrika
ipl 2923
Share this Article

BCCIએ મુંબઈમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. ખેલાડીઓનું વર્કલોડ મેનેજમેન્ટ તેમાંથી એક છે. ભારતના ઘણા મહત્વના ખેલાડીઓ ઈજાના કારણે પરેશાન છે. આવી સ્થિતિમાં ટીમના કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ, બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ, પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ ચેતન શર્મા અને એનસીએના વડા વીવીએસ લક્ષ્મણની હાજરીમાં ખેલાડીઓની વર્કલોડ પર ઘણી ચર્ચા થઈ હતી.

ODI વર્લ્ડ કપ પણ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં યોજાવાનો છે. આવી સ્થિતિમાં BCCI IPL દરમિયાન મુખ્ય ખેલાડીઓને આરામ આપી શકે છે. આ બેઠકમાં 2022માં ભારતીય ટીમના પ્રદર્શન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની હાર અને T20 વર્લ્ડ કપમાં ભારતની સેમીફાઈનલમાં હાર પણ ચર્ચામાં આવી હતી.

ભારતના ઘણા મુખ્ય ખેલાડીઓ આ વર્ષે ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. આવી સ્થિતિમાં આ બેઠકમાં ઈજાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝમાં ભારતની હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ મોટા ખેલાડીઓની ઈજા અંગે વાત કરી હતી. તેણે પૂછ્યું હતું કે શા માટે ખેલાડીઓ ફિટ હોવા છતાં વારંવાર ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે.

રોહિતે કહ્યું હતું કે, “અમારે તેના ઉંડાણે જવાનો પ્રયાસ કરવો પડશે. મને ખબર નથી કે તે બરાબર શું છે. કદાચ તેઓ વધુ પડતું ક્રિકેટ રમી રહ્યા છે. અમારે તે લોકો પર નજર રાખવાની જરૂર છે.” કારણ કે તે એ સમજવું અગત્યનું છે કે જ્યારે તેઓ ભારત આવે છે, ત્યારે તેઓ સંપૂર્ણપણે ફિટ હોવા જોઈએ.” 2022ના મોટાભાગના સમય માટે દીપક ચહર ઈજાગ્રસ્ત હોવાથી, જસપ્રિત બુમરાહ પીઠના ફ્રેક્ચરમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. રવીન્દ્ર જાડેજા, જે પગની ઘૂંટીની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. મેડિકલ ટીમે આ તમામ ખેલાડીઓ માટે વર્કલોડ મેનેજમેન્ટ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly