ઈશાન કિશને એક ઈન્ટરવ્યુમા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અંગે ચોકાવનારા ખુલાસા કર્યા છે. ઈશાન કિશને એક કિસ્સા વિશે વાત કરતા કહ્યુ કે મેદાન પર હંમેશા રોહિત શર્માનુ મગજ એક્ટિવ રહે છે એટલુ જ નહી તેઓ જે બોલે છે તે જ થાય છે. એક વખત બેટર આવ્યો તો મેં વિચાર્યુ કે તેમણે આવુ ફીલ્ડ કેમ ના રાખ્યું? પણ આખરે થાય તો એ જ જે રોહિત શર્મા કહે.
આ સાથે ઈશાને જણાવ્યુ કે રોહિતનુ બેસ્ટ છે કે તેઓ મેચમાં એક અપશબ્દ કહે છે. આ પછી તેણેએ વાત પણ કહી હતી કે રોહિત અપશબ્દ બોલે તો છે પણ પછી કહે છે કે કોઈ સીરિયસ ના લેતા. આ બધુ મેચમાં ચાલે છે. વાત કરીએ ઇશાન વિશે તો તેઓની ઉમર 23 વર્ષ જ છે અને તે વર્ષના સૌથી મોંઘા ખેલાડી સાબિત થયા છે. મળતી માહિતી મૂજબ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેમને 15.25 કરોડ રૂપિયામાં તેમની ટીમમાં ખરીદ્યા છે.