Gujarati News: તથ્ય પટેલને આખું ગુજરાત ઓળખે છે. કારણ કે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. જો કે, આ ઘટના બાદ તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી.
તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. હવે આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે કેન્સરના ઇલાજ માટે મુંબઈ જવાનું થતું હોવાથી જામીન અરજી કરી હતી, પરંતુ પ્રજ્ઞેશ પટેલને નિષ્ફળતા હાથે લાગી છે.
પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મામલે આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. આ ઉપરાંત જેલ વિભાગને ગુજરાતના કેન્સર વિભાગમાં સારવાર કરાવવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. આ મામલે 10 દિવસમાં રિપોર્ટ પણ રજૂ કરવા જણાવ્યું છે.
આ લોકો નહીં જીવવા દે! હવે તો કેશ ઓન ડિલિવરીમાં પણ ઓનલાઈન શોપિંગમાં મોટો ખતરો, જાણી લો ફટાફટ
ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માતમાં તથ્ય પટેલને જેલભેગો કર્યો હતો. ત્યારે તેના પિતાએ ત્યાં હાજર લોકોને ધમકાવ્યા હતા એ ગુનામાં કાયદાદેસરની કાર્યવાહી કરી એમને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.