Gujarat News: ગુજરાતના રાજકારણને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકીય ગલીઓમાં એક અટકળ ચાલતી હતી કે પાટીલ અને પટેલને બહાર મોકલવામાં આવશે. પરંતુ હવે આ અટકળ પર વિરામ આવી ગયો છે. કારણ કે CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતમાં અને પાટીલની અધ્યક્ષતામાં જ લોકસભા ચૂંટણી લડાશે. લોકસભા ચૂંટણી સુધી ગુજરાતમાં ભાજપમાં કોઇ જ ફેરફાર નહીં થાય. સરકાર કે સંગઠનમાં કોઇ જ ફેરફાર કરાશે નહી.
પ્રધાનમંત્રી મોદી માદરે વતન0 ગુજરાત 30 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવનાર છે. લોકસભાની ચૂંટણી પહેલા તેમની આ મુલાકાત મહત્વની સાબિત થવાની છે. ત્યારે તેમના આગમન પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થવાના એંધાણ હતા.
જો કે ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે આગામી લોકસભા ચૂંટણી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં જ લડાવાની છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી લડાશે. સાથે જ સરકાર કે સંગઠનમાં કોઈ ફેરબદલ નહીં થાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે.
જો કે આ સાથે એક એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે માત્ર સંગઠનમાં ખાલી પડેલા પદ ભરાશે. પીએમ મોદીના પ્રવાસ બાદ ખાલી પડેલા પદ ભરાશે. 26 બેઠકો પર હેટ્રીકના લક્ષ્ય સાથે ભાજપ કામ કરશે. છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય નેતૃત્વમાં જશે. પરંતુ હવે એ અટકળો પર વિરામ લાગી ગયો છે કે પાટીલ ક્યાંય જવાના નથી.