Rajkot News: તમારા શરીરમાં કોઇપણ ભાગમાં દુખાવો કે બેચેની થઇ રહી હોય તો તમારે પહેલા ડોક્ટરને સંપર્ક કરવો જોઇએ. જો તમને છાતીમાં ભાર, જકડણ, બળતરા, દુખાવો જેવી સમસ્યા હોય તો આ તમારા હાર્ટ એટેકનું કારણ બની શકે છે. કારણ કે હાલમાં રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સામાં ભારે વધારો થયો છે અને છેલ્લા 24 કલાકમાં 3 લોકોને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યા છે.
સૌથી પહેલા વાત કરીએ જેતપુરના પંચવટી વિસ્તારની તો ત્યાં યુવાનને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. યુવાનનું નામ ભરતગીરી ગોસ્વામી હોવાનું સામે આવ્યું છે અને એમની ઉંમર 26 વર્ષ છે. આ યુવાનને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો.
એ જ રીતે જુના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે જન્માષ્ટમીના કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન 25 વર્ષીય જતીન સરવૈયા નામના યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ગુજરાતના દરેક પોલીસ જવાનોને 1 કરોડનો વીમો અને સાથે મળશે અઢળક લાભ, આઠમ પર લેવાયો સૌથી મોટો નિર્ણય
સૌથી દુખદ વાત તો એ છે કે જેતપુરના લોકમેળામાં એક યુવતીનું હાર્ટ અટેકથી મોત થયું છે. બલળથ બારવાળા ગામની અંજનાબેન ભુપત ગોંડલીયા નામની 26 વર્ષીય યુવતીની સગાઇ પણ હમણાં જ થઈ હતી. આ દરમિયાન તે જેતપુરના લોકમેળામાં સાસરીયા પક્ષ સાથે પહોંચી હતી. જોકે મેળામાં ચકડોળમાંથી નીચે ઉતર્યા બાદ યુવતીને ચક્કર આવ્યા હતા. આ દરમિયાન યુવતીને હાર્ટ એટેક આવતા મૃત્યુ પામી છે.