ગુજરાતીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. 15 એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ ગણો વધારો અમલી થશે એ પહેલાં જ આજે રાજ્ય સરકારે કેટલીક રાહત આપી છે. ખાસ કરી, પ્રીમિયમમાં દરમાં ઘટાડો, બાંધકામની કિંમતમાં ઘટાડો અને ખરીદવી પડતી એફએસઆઈના દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. સૌથી મોટી રાહત અર્ફોડેબલ હાઉસિંગમાં આપવામાં આવી એ સૌથી મોટી રાહત છે. રહેણાંક ઝોનમાં 66 ચોરસ મીટરથી 90 ચોરસ મીટર સુધીના બાંધકામમાં પેઈડ એફએસઆઈના 40 ટકાના બદલે માત્ર 20 ટકા ચૂકવવા પડશે. જોકે, આર-1, આર-2, આર-3 અને ટ્રાન્ઝીસ્ટ ઓરીએન્ડ ઝોન(ટીઓઝેડ)માં આંશિક જ રાહત આપી છે.
જેના કારણે આવા મકાનોની કિંમત 10થી 15 ટકા સુધી વધી શકે છે. તો વળી સરકારે રિડેવલપમેન્ટ અને એનએની ફાઈલો જે ઈન્વર્ડ થઈ હોય તેમાં કોઈ પણ પ્રકારની રાહત આપી નથી. તો વળી બિલ્ડરોએ પણ અનેક માંગણી કરી છે. નવી જંત્રી લાગુ થયાના એક દિવસ પહેલા જાહેરાત કરતાં હવે 3 બેડરૂમથી મોટા મકાનોની કિંમત 10 થી 20 ટકા વધી જશે. ખેતીની જમીન બિનખેતી કરવા માટે હવે 40 ટકાને બદલે 30 ટકા જ પ્રીમિયમ ચૂકવવું પડશે, સાથે જ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને NA માટે મુકાયેલી ફાઇલો માટે કોઈ રાહત જાહેર કરવામાં આવી નથી.
પેઈડ એફએસઆઈ વિશે માહિતી છે કે પ્લાન પાસિંગમાં સ્ક્રુટિની ફી ભરેલી હોય તેવા કિસ્સામાં જૂની જંત્રી મુજબ FGSI વસૂલવામાં આવશે. પ્લાન પાસ થયા હોય તેવા કિસ્સામાં અને FSIના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કિસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ FSIમાં લાગુ કરવામાં નહીં આવે. જે કિસ્સામાં TDRનો ઉપયોગ કરવામાં આવે તેમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવેલી દરથી રકમ વસૂલાશે. પ્રીમિયમના દર વિશે વાત કરીએ તો ખેતીની જમીન ખેતીમાં ફેરવવી હોય તો 25 ટકાને બદલે 20 ટકા પ્રીમિયમ ભરવુ પડશે. ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવવા માટે 40 ટકાને બદલે 30 ટકા પ્રીમિયમ ભરવું પડશે.
હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી, ગુજરાતના આ જિલ્લાઓમાં મુશળધાર મેઘો ખાબકશે, આ વિસ્તારમાં તો પુર આવશે
જો બાંધકામની રાહત વિશે વાત કરીએ તો જમીન વત્તા બાંધકામના સંયુકત દરમાં રહેણાકના દર બે ગણાને બદલે 1.8 ગણા કરવામાં આવ્યા. ઓફિસના દર પણ બે ગણાને બદલે 1.5 ગણા કર્યા જયારે દુકાનના બે ગણા યથાવત રાખવામાં આવ્યા છે. તો વળી રહેણાક, દુકાન અને ઓફિસ સિવાયનાં અન્ય બાંધકામના દર બે ગણાને બદલે દોઢ ગણા કરવામાં આવ્યા છે.