ચિંતા ન કરો, ઘર મોંઘાં નહીં થાય; રાજ્ય સરકારે જંત્રીમાં મોટી રાહત આપી, જાણો પહેલ અને હવેના ભાવમાં કેટલો ફરક

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાતીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. 15 એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ ગણો વધારો અમલી થશે એ પહેલાં જ આજે રાજ્ય સરકારે કેટલીક રાહત આપી છે. ખાસ કરી, પ્રીમિયમમાં દરમાં ઘટાડો, બાંધકામની કિંમતમાં ઘટાડો અને ખરીદવી પડતી એફએસઆઈના દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. સૌથી મોટી રાહત અર્ફોડેબલ હાઉસિંગમાં આપવામાં આવી એ સૌથી મોટી રાહત છે. રહેણાંક ઝોનમાં 66 ચોરસ મીટરથી 90 ચોરસ મીટર સુધીના બાંધકામમાં પેઈડ એફએસઆઈના 40 ટકાના બદલે માત્ર 20 ટકા ચૂકવવા પડશે. જોકે, આર-1, આર-2, આર-3 અને ટ્રાન્ઝીસ્ટ ઓરીએન્ડ ઝોન(ટીઓઝેડ)માં આંશિક જ રાહત આપી છે.

જેના કારણે આવા મકાનોની કિંમત 10થી 15 ટકા સુધી વધી શકે છે. તો વળી સરકારે રિડેવલપમેન્ટ અને એનએની ફાઈલો જે ઈન્વર્ડ થઈ હોય તેમાં કોઈ પણ પ્રકારની રાહત આપી નથી. તો વળી બિલ્ડરોએ પણ અનેક માંગણી કરી છે. નવી જંત્રી લાગુ થયાના એક દિવસ પહેલા જાહેરાત કરતાં હવે 3 બેડરૂમથી મોટા મકાનોની કિંમત 10 થી 20 ટકા વધી જશે. ખેતીની જમીન બિનખેતી કરવા માટે હવે 40 ટકાને બદલે 30 ટકા જ પ્રીમિયમ ચૂકવવું પડશે, સાથે જ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને NA માટે મુકાયેલી ફાઇલો માટે કોઈ રાહત જાહેર કરવામાં આવી નથી.

​​​​​​​પેઈડ એફએસઆઈ વિશે માહિતી છે કે પ્લાન પાસિંગમાં સ્ક્રુટિની ફી ભરેલી હોય તેવા કિસ્સામાં જૂની જંત્રી મુજબ FGSI વસૂલવામાં આવશે. પ્લાન પાસ થયા હોય તેવા કિસ્સામાં અને FSIના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કિસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ FSIમાં લાગુ કરવામાં નહીં આવે. જે કિસ્સામાં TDRનો ઉપયોગ કરવામાં આવે તેમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવેલી દરથી રકમ વસૂલાશે. પ્રીમિયમના દર વિશે વાત કરીએ તો ખેતીની જમીન ખેતીમાં ફેરવવી હોય તો 25 ટકાને બદલે 20 ટકા પ્રીમિયમ ભરવુ પડશે. ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવવા માટે 40 ટકાને બદલે 30 ટકા પ્રીમિયમ ભરવું પડશે.

હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી, ગુજરાતના આ જિલ્લાઓમાં મુશળધાર મેઘો ખાબકશે, આ વિસ્તારમાં તો પુર આવશે

ભલે ઉનાળો છે પણ વારંવાર પાણી પીવાની આદતથી થાય છે આ ગંભીર બીમારીઓ, જાણો દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ

સૌથી મોટા સમાચાર, SBI સિવાય તમામ બેન્કો બની જશે પ્રાઈવેટ, સરકાર દ્વારા જાહેર કરવામાં આવી સંપૂર્ણ યાદી

જો બાંધકામની રાહત વિશે વાત કરીએ તો જમીન વત્તા બાંધકામના સંયુકત દરમાં રહેણાકના દર બે ગણાને બદલે 1.8 ગણા કરવામાં આવ્યા. ઓફિસના દર પણ બે ગણાને બદલે 1.5 ગણા કર્યા જયારે દુકાનના બે ગણા યથાવત રાખવામાં આવ્યા છે. તો વળી રહેણાક, દુકાન અને ઓફિસ સિવાયનાં અન્ય બાંધકામના દર બે ગણાને બદલે દોઢ ગણા કરવામાં આવ્યા છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly