Kuno Natinal Park: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક માટે સૌથી વધુ જમીન દાન આપનાર પાલપુરનો રાજવી પરિવાર સરકારથી નારાજ છે અને છેતરાયાની લાગણી અનુભવી રહ્યો છે. પાલપુર રાજ પરિવારનો આરોપ છે કે તેઓએ આ પાર્ક માટે તેમની 222 વીઘા જમીન દાનમાં આપી હતી, પરંતુ વન વિભાગે તેમની વધુ જમીન કબજે કરી લીધી હતી અને વળતર ચૂકવ્યું ન હતું.
રાજવી પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે પાલપુરના રાજવીઓનો વન્યજીવોને બચાવવાનો આખો વારસો સરકારના વલણને કારણે બરબાદ થઈ ગયો હતો કારણ કે તેમને એકવાર પણ દાનમાં આપેલી જમીન માટે ક્રેડિટ આપવામાં આવી ન હતી.
‘સિંહોને બદલે ચિતા લાવ્યા’
પાલપુર રાજ પરિવારના સભ્યોએ જણાવ્યું કે આ કારણે તેઓ છેતરાયાનો અહેસાસ કરી રહ્યા છે. ન તો તેમને જમીન દાનમાં આપવાનો શ્રેય આપવામાં આવ્યો કે ન તો વનવિભાગ દ્વારા તેમને કોઈ વળતર આપવામાં આવ્યું, વધુ ગંભીર બાબત એ છે કે રાજવી પરિવારે સિંહોના ઉછેર માટે તેમની આટલી જમીન દાનમાં આપી દીધી હતી, પરંતુ સિંહોને બદલે સરકાર ચિતા લાવ્યા.
‘દાનમાં આપેલી જમીનમાં પણ કિલ્લો’
પાલપુરના રાજવી પરિવારના વારસદાર કુંવર વિક્રમ રાજ સિંહે જણાવ્યું હતું કે, “દાનમાં આપેલી જમીનમાં તેમનો પૈતૃક કિલ્લો અને મંદિર પણ છે અને અમે પાર્કની અંદરના અમારા મંદિરની મુલાકાત લેવા માટે કોર્ટ પાસેથી પરવાનગી માંગી રહ્યા છીએ.” અમે આ જમીન સિંહોના પુનર્વસન માટે દાનમાં આપી હતી.
28 ફેબ્રુઆરીએ એક પણ બસ અમદાવાદમાં નહીં આવવા દેવાની ધમકી, સુરતનો વિવાદ ચારેકોર ભડકે બળ્યો
કરોડોની એક પછી એક ડીલમાંથી અદાણીની પાછી પાની, બધું ધોવાઈ ગયું, હવે ખાલી આટલી જ સંપત્તિ બચી
આટલા કરોડોનો ખર્ચ, 101 ફૂટની ઉંચાઈ, આલિશાન મુર્તિ… હવે અયોધ્યામાં બનશે CM આદિત્યનાથ યોગીનું મંદિર
વિક્રમ રાજ સિંહે વધુમાં કહ્યું કે, જો કે સરકારે સિંહને બદલે ચિત્તા લાવવાનો નિર્ણય કર્યો છે. અમે નિરાશ છીએ કે એક પણ સિંહ કે સિંહણનું પુનર્વસન થયું નથી. ચિતાનું પુનર્વસન કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ ઓછામાં ઓછું જમીન દાન કરવાનો હેતુ સમજવો જોઈએ. કુંવર વિક્રમ રાજ સિંહે કહ્યું કે, અમારા પરિવારનો કોઈ ઉલ્લેખ નથી જ્યારે અમારા પરિવારે આ પાર્કની સ્થાપના કરી હતી. સરકાર અમને યોગ્ય ક્રેડિટ આપવામાં નિષ્ફળ રહી છે.