Cyclone Biporjoy LIVE Update: બિપરજોય વાવાઝોડાને લઈ હાલમાં આખા ગુજરાતમાં દરેક લોકો ચિંતિંત છે. એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર સતર્ક છે. સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ એરિયામા ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. વહીવટી તંત્રએ દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને કોઈ પણ દુર્ઘટનાથી બચવા સાવધાન રહેવાની સુચના આપી દીધી છે.
સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કચ્છમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 12 જૂનથી 16 જૂન સુધી આ કલમ 144 લાગુ રહેશે. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ કરી એની પણ હાલમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે વાવાઝોડા સમયે અને ત્યારબાદ લોકોએ કઈ સાવચેતી રાખવી તેનો નાગરિકોને અનુરોધ કરાયો છે.
બીજી તરફ ભાવનગરમાં બીપરજોય વાવાઝોડાને લઈને પણ ભાવનગર દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યુ છે. કોઈ પણ વ્યકિતને દરિયા કિનારે જવા પર ફુલ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ઘોઘા, કોળિયાક અલંગ સહિત ના દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભાવનગર કલેકટર દ્વારા 11 જૂનથી તા.15 સુધીનું દરિયા કિનારે જવા પ્રતિબંધનું જાહેરનામું બહાર પડાયું છે.
‘બિપરજોય’ વાવાઝોડાએ ભલભલાના ધબકારા વધારી દીધા, 6 જિલ્લામાં સૌથી વધારે ઘાતક ખતરો, મેઘરાજા તૂટી જ પડશે
વાવાઝોડાને લઈ જાણો આખો ઈતિહાસ, જાણો વાવાઝોડું કઈ રીતે આવે? કઈ રીતે નુકસાન કરે? બધી જ માહિતી
બીજા એક મોટા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે PM નરેન્દ્ર મોદીએ ચક્રવાત બિપોરજોયને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક બોલાવી છે. આ બેઠક બપોરે 1 વાગ્યે યોજાશે. બેઠકમાં વાવાઝોડા અંગેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે અને શું શું પગલા લેવાશે એની પણ ચર્ચા થશે.