સાળંગપુરમાં હનુમાન દાદાની પ્રતિમાની નીચે લગાવેલા ભીતચિત્રો બાબતે આખા રાજ્યમાં વિવાદ થઈ રહ્યો છે. ત્યારે હવે બોટાદમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરના મહંત અને અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદ અખાડાના મહંત પરમેશ્વર મહારાજે આ મુદ્દે 24 કલાકનું અલ્ટીમેટન આપ્યું છે.
કહ્યું છે કે 24 કલાકમાં સાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં નહીં આવે તો અમે હથિયાર ઉપાડવા માટે તૈયાર છીએ. હું બંને ભૂજા ઉઠાવીને પ્રણ કરું છું કે આ લોકો નહીં સુધરે તો સનાતન ધર્મના રક્ષણ માટે હું તેમનો વધ કરી નાખીશ.
વિગતે વાત કરીએ તો આ વિવાદ મામલે મહંત પરમેશ્વર મહારાજે જણાવ્યું કે, હનુમાનજી સ્વામિનારાયણના દાસ નથી. હનુમાનજી ભગવાન રામના દાસ છે. સ્વામિનારાયણ મતલબ કોણ? સ્વામિનારાયણનો કોઈ સંપ્રદાય નથી. સ્વામિનારાયણનો કોઈ અખાડો નથી, સિદ્ધાંત નથી, પંથ નથી. આ ફરજી બાબાનું ગ્રુપ છે. આ લોકો બ્લેકના રૂપિયા વ્હાઈટ કરે છે. તેમના ભગવાન રામ કે શિવ નથી તો આ લોકો હનુમાનજીના ચરણોમાં કેમ પડ્યા છે?
ખાખીમાં એક્શન મારી રિલ્સ બનાવતા પોલીસકર્મીઓ સાવધાન, ગુજરાત પોલીસ વડાનો સૌથી મોટો આદેશ
એક રિપોર્ટ અને અદાણીના 19,000 કરોડ સ્વાહા, ચીનીઓ પણ આગળ નીકળી ગયા, જાણો હવે કેટલામા નંબરે
આગળ વાત કરતા પરમેશ્વેર મહારાજે વાત કરી કે હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રો કેમ લગાવ્યા છે? અમને લાગતું હતું કે આ લોકો સુધરી જશે, તે સનાતની છે. પરંતુ આ લોકો સનાતની નથી, સનાતમ ધર્મના વિરોધી છે. હનુમાનજીનું અપમાન કરનારાઓ પર અમે કેસ કરીશું. આ સાથે જ કહ્યું કે 24 કલાકમાં જો ચિત્ર નહીં હટે તો હું તેમનો વધ કરી નાખીશ.