Gujarat News: સાળંગપુર વિવાદ હવે દિવસે ને દિવસે વકરતો જ જાય છે. ચારેકોર વિરોધ બાદ પણ હજુ ભીતચિત્રો હટ્યા નથી અને લોકો તેમજ સાધુ-સંતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે હવે નવું જ કારનામું બહાર આવ્યું છે. સાધુ સંતોએ કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના જવાબદાર માણસો વહેલી તકે જો ચિત્રો નહી હટાવે તો અમે રોડ પર આવી વિરોધ કરીશુ. એટલું નહીં અમારો એક પંથ નાગા બાવા છે અને તે ઝનૂની છે, જરૂર પડે તો એમને પણ મેદાને ઉતારી દઈશું, અને તમને બધાને નાગા બાવાનો ઈતિહાસ તો ખબર જ છે.
આ મામલે નર્મદા જિલ્લાના નર્મદા કિનારે રહેતા સાધુ-સંતો રોષે ભરાયા છે. જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી અને સ્વામિનારાયણ સંપ્રદાયને ભૂલ સુધારવા માંગ કરી છે, તેમણે કહ્યું કે, જો ભૂલ નહી સુધારે તો અમે આંદોલન કરીશું.
જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ બાબતે પોતાનો વિરોધ વ્યક્ત કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જિલ્લા કલેક્ટર પાસે માંગ કરી હતી કે, આજે હનુમાનજીનું અપમાન થયું છે તે ન થવું જોઈએ. તેમજ આવી ઘટના ફરી વાર ન બનવી જોઈએ. જો આ લોકો ભૂલ નહી સુધારે તો સાધુઓ રોડ પર આવી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
ગઈકાલથી જ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે કે સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ વકર્યો છે. ત્યારે આજે રવિવારે અમદાવાદનાં લંબે નારાયણ આશ્રમ ખાતે સાધુ-સંતોની બેઠક મળશે. જેમાં આખા રાજ્યમાંથી 150 થી વધુ સાધુ-સંતો આવશે. તેમજ શાંતિપૂર્ણ નિરાકરણ આવે તે માટેના બધા જ પ્રયત્નો કરવામાં આવશે.
આગામી 72 દિવસ સુધી શનિ આ રાશિના જાતકોના નસીબને આસમાને પહોંચાડશે, મળશે દરેક કામમાં સફળતા
30 વર્ષ બાદ સૂર્ય-શનિ 180 ડિગ્રી પર સામસામે આવ્યા, આ લોકો ખાસ ધ્નાય રાખજો, નહીંતર પથારી ફરી જશે
ઋષિ ભારતી બાપુએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમદાવાદનાં લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠક મળશે. 150 થી વધુ સાધુ-સંતો લંબે નારાયણ આશ્રમ ખાતે આવશે. ત્યારે જો શાંતિપૂર્ણ નિરાકરણ આવે તે માટે પ્રયાસ થશે. ઋષિ ભારતી બાપુએ પોતાના નિવેદનમાં એવી પણ વાત કરી કે જો શાંતિપૂર્ણ નિરાકરણ નહી આવે તો બીજી રીતે સમજાવવા પડશે. તે શાસ્ત્ર અને શસ્ત્ર બંને રીતે સમજાવતા આવડે છે.