Gujarat News: ગઢવી-આહીર વિવાદ હવે આખા ગુજરાતમાં પહોંચી ગયો છે અને ચારેતરફથી અલગ અલગ નિવેદન સામે આવી રહ્યા છે. ત્યારે હવે એક નવા સમાચાર જાણવા મળી રહ્યાં છે કે સોનલધામ મઢડા ખાતે આહીર અગ્રણીઓ પહોંચ્યા હતા અને માફી માંગી હતી. તો વળી મઢડા ધામથી ગિરીશ આપાએ સંદેશો આપ્યો એ પણ ખાસ જાણવા જેવો છે.
વિવાદને શાંત કરવા માટે મઢડા ધામથી ગિરીશ આપાએ વાત કરી કે આ ફક્ત વ્યક્તિગત નિવેદન છે માટે આપણે એ રીતે જ લઈએ. આપણા ભાઈ ચારામાં કે કોઈ સંબંધોમાં ખામી ન આવે તે રીતે રહેવું જોઈએ. આપણાં સંબંધો જોડાયેલા હતા અને રહેશે જ. ખાસ વાત એ છે કે આપણે આને જુદી રીતે ન વિચારીએ. આપણે આપણા કામમાં આગળ વધીએ અને ન્યાય ઉપર વિશ્વાસ રાખીએ.
ગઢવી-આહીર વિવાદને લઈ સોનલધામ મઢડા આહીર સમાજના અગ્રણીઓ પહોંચ્યા છે. ગીગા ભમ્મરના વાયરલ વીડિયોને લઈ અગ્રણીઓ ગિરીશ આપાને પણ મળ્યા હતા. બન્ને સમાજને શાંતિ જાળવવા અને વિવાદથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
આ વિવાદ અંગે રાજકારણમાં ખુબ સક્રિય રહેતા અને કોંગ્રેસનું મોટું નામ એવા વિક્રમ માડમે કહ્યું કે, કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ શબ્દ બોલે તેના હિસાબે બંન્ને સમાજ વચ્ચે ક્યાંક મન દુખ થાય અને તે મન દુખ ન થાય. અમે ગઢવી સમાજને પવિત્ર માનીએ છીએ અને એટલો જ અમારો આદર છે.
કેટલીય જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો ગુજરાતમાં ઘટ્યા કે વધ્યા
માડમે પોતાની લાગણી વ્યક્ત કરતાં આગળ વાત કરી કે, માં સોનલ પ્રત્ય પણ એટલો જ આદર છે. આદીકાળથી જે સંબંધો છે તે રીતે જ રહીએ અને સંબંધો નીભાવીએ. આ સંબંધો એટલા નબળા પણ નથી કે એક વ્યક્તિના બોલવાથી આ સંબંધો તૂટી જાય. અમે ગઢવી સમાજને ખાતરી આપીએ છીએ કે, ગઢવી સમાજ આદરણીય છે અને આદરણીય હતો અને રહેશે.