સૌરાષ્ટ્રમાં ચારેતરફ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. એવામાં ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદે તેનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાની શરૂઆત કરી દીધી છે. ગીર સોમનાથ જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. વરસાદી પાણીને પગલે માધવરાય મંદિર પણ પાણીમાં ગરકાવ થયુ હતું. ચાલુ વર્ષે પહેલી વખત માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયુ છે.
માધવરાય મંદિર પાણીમાં ગરકાવ
સામાન્ય રીતે સીઝનના બીજા અથવા ત્રીજા રાઉન્ડના વરસાદમાં સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી જળમગ્ન થતા હોય છે. પરંતુ આ વખતે ચોમાસાના આગમનની સાથે જ પ્રાચી તીર્થના માધવરાય સરસ્વતી નદીના પાણીમાં ગરકાવ થયા છે. અત્યારે ગુજરાતમાં ભારે વરસાદ વરસાદ વરસી રહ્યો છે. થોડા સમય પહેલા જ આવેલા વાવાઝોડાએ પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે નુકશાન કર્યું હતું.
વરસાદી પાણી મંદિરમાં ઘૂસ્યાં
બિપોરજોયના કારણે થયેલા નુકશાનના કારણે હજી કચ્છાના ઘણા વિસ્તારો પ્રભાવિત છે. જ્યારે અત્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વરસાદના કારણે વરસાદી પાણી મંદિરમાં ફરી વળ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે.
આ પણ વાંચોઃ
અંબાલાલે આખા દેશના ધબકારા વધારા દીધા, વર્લ્ડકપ ફાઇનલમાં વરસાદને લઈ કરી ઘાતક આગાહી, તમે પણ જાણી લો
સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની એન્ટ્રી
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન પણ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢમાં પણ અત્યારે વરસાદના કારણે ગીરનારમાં નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.