વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે ટુર્નામેન્ટની પ્રથમ મેચ અમદાવાદમાં 5 ઓક્ટોબરે રમાશે. વર્લ્ડ કપ ભારતમાં યોજાશે. તેથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્ટેડિયમોને સુધારવાનું કામ શરૂ કરી દીધું છે. BCCI લગભગ 7 સ્ટેડિયમોમાં સુધારણાનું કામ કરાવશે.એક રિપોર્ટ અનુસાર બોર્ડ આ માટે 50-50 કરોડ રૂપિયા આપશે.આ યાદીમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સથી લઈને લખનૌના અટલ વિહારી બાજપેયી સ્ટેડિયમનો સમાવેશ થાય છે.
BCCI મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નવી ફ્લડલાઈટ લગાવશે. આ સ્ટેડિયમમાં કોર્પોટ બોક્સ પણ લગાવવામાં આવશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમને અપગ્રેડ કરવામાં આવશે. ધર્મશાળામાં નવું આઉટફિલ્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પૂણેના સ્ટેડિયમમાં રૂફિંગનું કામ કરવામાં આવશે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સીટો અને ટોયલેટનું સમારકામ કરવામાં આવશે.અહીં ટિકિટ સિસ્ટમ પણ અપગ્રેડ કરવામાં આવશે.લખનૌના સ્ટેડિયમમાં પીચ વર્ક કરવામાં આવી રહ્યું છે.ચેન્નાઈમાં પીચ વર્ક કરવામાં આવશે. તેની સાથે એલઇડી લાઇટ લગાવવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI લખનૌના ભારત રત્ન શ્રી અટલ વિહારી બાજપેયી સ્ટેડિયમ પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. IPLની મેચો અહીં રમાતી હતી. આ મેચો લો સ્કોરિંગ હતી. જેના કારણે પિચની ટીકા થઈ હતી. તેથી જ હવે અહીં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
અંબાલાલે આખા દેશના ધબકારા વધારા દીધા, વર્લ્ડકપ ફાઇનલમાં વરસાદને લઈ કરી ઘાતક આગાહી, તમે પણ જાણી લો
રિપોર્ટ અનુસાર સ્ટેડિયમમાં 11 નવી પીચો તૈયાર કરવામાં આવી છે. જમીન પર નવા ઘાસનું વાવેતર પણ કરવામાં આવ્યું છે જે ખૂબ સારી રીતે ઉગી રહ્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ અહીં 29 ઓક્ટોબરે રમાશે. વર્લ્ડ કપ 2023ની કુલ 5 મેચો અહીં રમાશે. ભારત-ઈંગ્લેન્ડની સાથે ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ક્વોલિફાયર 2 ટીમ વચ્ચે મેચ રમાશે.