Politics News: ઉત્તર પ્રદેશના બદાઉનમાં ઉપ-જિલ્લા અધિકારીએ એક કેસના સંબંધમાં રાજ્યપાલ આનંદીબેન પટેલને સમન્સ જારી કર્યું છે. આ સમન્સ જારી થયા બાદ રાજ્યપાલ સચિવાલય તરફથી બદાઉન સદર એસડીએમ એસપી વર્માને જવાબ આપવામાં આવ્યો છે. આ જવાબમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે રાજ્યપાલને સમન્સ મોકલી શકાય નહીં. જિલ્લા અધિકારી એટલે કે ડીએમ બદાઉને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો જમીનના વળતર સાથે જોડાયેલો હતો. લોડા બહારીના ચંદ્રહાસ વતી અહીં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વાદીએ પોતે PWD અધિકારી અને રાજ્યના ગવર્નર આનંદીબેન પટેલને તેમના કેસમાં પક્ષકાર બનાવ્યા હતા. જ્યારે આ કેસમાં સુનાવણી થઈ ત્યારે પક્ષકારોને હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાજ્યપાલના નામે સમન્સ પણ જારી કરવામાં આવ્યું હતું.
જ્યારે એસડીએમનું સમન્સ રાજ્યપાલ સચિવાલય પહોંચ્યું ત્યારે હોબાળો મચી ગયો હતો. રાજ્યપાલના વિશેષ સચિવ બદ્રીનાથ સિંહે આ અંગે પોતાનો વાંધો નોંધાવતા SDMને જવાબ મોકલ્યો છે. આ જવાબમાં લખવામાં આવ્યું છે કે એસડીએમ દ્વારા રાજ્યપાલને મોકલવામાં આવેલ સમન્સ બંધારણની કલમ 361નું ઉલ્લંઘન છે અને તે વાંધાજનક છે. આ જવાબમાં સ્પેશિયલ સેક્રેટરી બદ્રી સિંહે ડીએમ બદાઉનને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે અને એમ પણ કહ્યું છે કે ભવિષ્યમાં આવો કોઈ કિસ્સો ન બનવો જોઈએ.
ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગ તેમજ અંબાલાલે કરી ખતરનાક આગાહી, જાણો અને સ્વેટર બહાર કાઢી લો
બેફામ નુકસાન વચ્ચે ગૌતમ અદાણીએ બનાવ્યો 33 હજાર કરોડનો પ્લાન, માર્કેટમાં આવશે પૈસાનું વાવાઝોડું!
તમને જણાવી દઈએ કે સદર એસડીએમ એસપી વર્માએ 7 ઓક્ટોબર 2023ના રોજ રાજ્યપાલને આ સમન્સ મોકલ્યું હતું. આ સમન્સમાં રાજ્યપાલને 18 ઓક્ટોબરે SDM કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમાં હાજરીની તારીખથી સંબંધિત તમામ માહિતી આપવામાં આવી હતી. જ્યારે આ સમન્સ સચિવાલયમાં પહોંચ્યું ત્યારે ડીએમને તેના પર યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.