Gujarat News: ઓગસ્ટ મહિનાથી જ જોવામાં આવી રહ્યું છે કે વરસાદ આપણી સાથે સંતાકૂકડી રમી રહ્યો છે. એવામાં ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે હવે અંબાલાલ પટેલે ખેડૂતોને ખુશખબર આપ્યાં છે. વરસાદની આતુરતાથી રાહ જોતા ખેડૂતોને હવે રાહત થશે. હજુ ચોમાસાએ વિદાય નથી લીધી. ત્યારે અંબાલાલ પટેલે ધોધમાર વરસાદની આગાહી કરી છે.
ઓગસ્ટથી મેઘરાજાએ જાણે વિદાય લીધી હોય તેવો માહોલ સર્જાયો છે. ઓગસ્ટ આખો કોરો ધાકોડ ગયા બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. પાક સૂકાઈ રહ્યો છે. હવે અન્નદાતા બે હાથ જોડી રસ્તો ભૂલી ચુકેલા મેઘરાજાને ફરી પધારવા વિનંતી કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી વિશે વાત કરીએ તો ચોમાસુ હજુ ગયું નથી સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદ પડશે. તારીખ 3થી એટલે કે આજથી 10માં હળવો વરસાદ પડશે તો ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે. તો 10 સપ્ટેમ્બરથી 20મી સુધી ભારે વરસાદ પડશે. 10થી 14 વચ્ચે અરબ સાગર અને બંગાળની ખાડીમાં પ્રેશર બનતા વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. જો કે આ બાજુ હવામાન વિભાગ વરસાદની ના પાડી રહ્યું છે.
સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે છતાં વરસાદના કોઇ ઠેકાણા નથી. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આ વિશે આગાહી કરતાં જણાવ્યું કે, ‘આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદ નહિવત્ હશે. સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની કોઈ સંભાવના નથી. અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઇને કોઈ સંભાવના જોવા મળતી નથી.
સાત દિવસ દરમિયાન સાઉથ ગુજરાતના અમુક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, ડાંગ, દમણના અમુક ભાગમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સાત દિવસ દરમિયાન આ ભાગોમાં જ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજે ક્યાંય આખા ગુજરાતમાં વરસાદના એંધાણ નથી.
આગામી 72 દિવસ સુધી શનિ આ રાશિના જાતકોના નસીબને આસમાને પહોંચાડશે, મળશે દરેક કામમાં સફળતા
30 વર્ષ બાદ સૂર્ય-શનિ 180 ડિગ્રી પર સામસામે આવ્યા, આ લોકો ખાસ ધ્નાય રાખજો, નહીંતર પથારી ફરી જશે
ગુજરાતમાં વરસાદ ન પડવા પાછળ સક્રિય સિસ્ટમનો અભાવ માનવામાં આવે છે. સક્રિય સિસ્ટમ ન હોવાના કારણે ગુજરાતમાં વરસાદ થઇ રહ્યો નથી, ત્યારે આગામી સમયમાં ક્યારે સક્રિય સિસ્ટમ સર્જાશે તેના વિશે પણ હવામાન વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અંબાલાલ સાચા પડે છે કે હવામાન વિભાગ???