આખા ગુજરાતમાં સામાન્ય જનતા અને ખેડૂતોને હેરાન પરેશાન કરી રહેલ માવઠું હવે વધારે એક ઘાતક સમાચાર સામે લઈને આવ્યું છે. આ સમાચાર એટલે કે તમારી રોટલી હવે મોંઘી બની જશે. રાજ્યમાં ભર ઉનાળે થઇ રહેલા માવઠાનો માર હવે મોંધવારી પર પણ જોવા મળી રહ્યો છે. કારણ કે માવઠાને લીધે પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને ઘઉંના ભાવમાં 40 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં જોવામાં આવી રહ્યું છે કે એક પછી એક માવઠાથી કેરી અને ઘઉં ઉપરાંત રવિ પાકને નુકસાન થયું છે. દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ઘઉંની સિઝનને પગલે ખરીદી કરાતી હોય છે. ખાસ કરીને તેની અસર બારે માસની ખરીદી પર પણ પડી રહી છે. આ સિઝન દરમિયાન ગૃહિણીઓ પણ હેરાન થઈ રહી છે. આવા સમયે ઘઉંના ઊંચા ભાવની અસર ખરીદી પર પણ ધ્યાને આવી છે. ઘઉંની વિવિધ ક્વોલિટીના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 900 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે જે લોકોના બજેટની પથારી ફેરવી રહ્યું છે.
હાલમાં બજારમાં નજર કરીએ તો ઘઉંની માંગ અને ભાવ બન્નેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલ દાઉદખાની ઘઉંની કિંમતમાં 40 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. 100 કિલોગ્રામ ઘઉંનોનો ભાવ 6800 રૂપિયા જેટલો છે. જે ગત વર્ષ કરતાં 40 ટકા વધુ નોંઘાયો છે. બીજી બાજુ, શિહોરી ટૂકડીનો ક્વિન્ટલ દીઠ ભાવ 4500 છે, જે ગત વર્ષે 3900 રૂપિયા જેટલો હતો. રજવાડી બંસીનો ભાવ 4300 છે, જે ગત વર્ષે 3800 રૂપિયા જેટલો હતો. લોકવનનો ભાવ 3500 છે, જે ગત વર્ષે 2900 રૂપિયા હતો. બીજી બાજુ, ખેડૂતોને પ્રથમ વખત ઘઉંના ઐતિહાસિક ભાવ મળી રહ્યા છે.
હવે અમદાવાદમાં વાહન ચાલકો થરથર ધ્રુજશે, આ 16 નવા ટ્રાફિકના નિયમો તોડનારને મેમોના ઢગલા થઈ જશે
યાર્ડની કિમત પર નજર કરીએ તો 500થી 600 સુધીના ભાવ મળી રહ્યા છે. જોકે, માવઠાને લીધે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે, ઘઉંની કિંમતમાં વધારો થતાં તૈયાર લોટના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, માવઠાને કારણે ઘઉંની ગુણવત્તા પર અસર પડી છે. નબળી ગુણવત્તા છતાં ભાવમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ માવઠું બીજી કેવી કેવી મુસીબત લઈને આવે છે