આ સવાલ વારંવાર કચ્છના લોકોને ડરાવી રહ્યો છે કે શું 2001 જેવો ભૂકંપ ફરી આવી રહ્યો છે? કારણ કે, દર મહિને કચ્છની ધરતી ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠે છે. લોકોને 2001ની યાદ આવી જાય છે. કારણ કે, 2001માં આવેલા ભૂકંપે મોટી સંખ્યામાં લોકોનો ભોગ લીધો હતો. હજારો પરિવારોના માળા વિખેરાઈ ગયા હતા.. તેવામાં કેદ્ર સરકારના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ વિભાગ મારફતે સંશોધનો હાથ ધરાયા છે. જેમાં સામે આવ્યું છે કે, દર મહિને કચ્છમાં 3 થી 4 તીવ્રતાના આંચકા અનુભવાઈ રહ્યા છે. કેટલાક સમયે તો વાગડમાં આવતા આંચકા છેક ભુજ સુધી અનુભવાઈ છે. પરંતુ આ પ્રકારના વારંવાર આંચકા આવે કેમ છે..? કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે.
આ સાથે જ બીજી એક મહત્વની વાત કે મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે. જેતે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિલોમીટર સુધી પ્લેટો તૂટી ગઈ હતી. પ્લેટોની નુકસાની આજસુધી યથાવત્ રહેતા આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. જેથી આ વિસ્તારના લોકોને આગામી સમયમાં પણ આ પ્રકારના આંચકાનો અનુભવ થઈ શકે છે. કચ્છથી લઈને હિમાલય સુધી જ્યાં ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે ત્યાંના લોકોએ ડરવાની નહીં પરંતુ સાવધાન રહેવાની જરૂર છે.
એક વાત બધાએ હંમેશા યાદ રાખવી જોઈએ કે, આ ફોલ્ટલાઈન કુદરતી ઘટનાનો ભાગ છે જેને માનવી ક્યારેય ન રોકી શકે. ભૂકંપ અંગે છેલ્લા 6 વર્ષથી સંશોધનો કરવામાં આવ્યા હતા, જેના તારણો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગને સોંપવામાં આવ્યા છે. વાગડમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે, જેથી આ બે લાઈનો ભેગી થતી હોવાથી અવાર નવાર ભૂકંપના આંચકા આવે છે.
કચ્છ જિલ્લામાં 1લી ફેબ્રુઆરીથી આજ 7 ઓગસ્ટ સુધી 92 જેટલા ભુકંપના આંચકા અનુભવાયા હતા. ફેબ્રઆરીમાં 11, માર્ચમાં 16, એપ્રિલમાં 21, મે મહિનામાં 13, જૂન મહિનામાં 14, જુલાઈ મહિનામાં 11, ઓગસ્ટમાં અત્યાર સુધી 6 જેટલા આંચકા અનુભવાયા હતા. 2 થી 2.9 ની તીવ્રતાના 73, 3 થી 3.9ની તીવ્રતાના 17 તથા, 4 થી 4.9ની તીવ્રતાના 2 આંચકા નોંધાયા છે. કચ્છમાં દરરોજ ભૂકંપના આંચકા આવતા હોય છે. અવાર નવાર ભચાઉ, રાપર, દુધઈ, ધોળાવીરા, ખડીર આ તરફ પશ્ચિમમાં તાજેતરમાં ખાવડા, સુખપર, લખપત સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ભૂકંપના આંચકાની માહિતી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે.
ઓહ બાપ રે! ભારતમાં આ 13 રાજ્યોમાં તુર્કી જેવો જ ભૂકંપ આવવાનો પુરો ખતરો, ગુજરાતનું નામ પણ ટોપ પર
જય હો… તુર્કીના સહારે સૌના બાપુ મોરારી બાપુ, અધધ લાખની કરી સહાય, ભારત પણ અડીખમ ટેકો કરીને ઉભુ જ છે
ભૂકંપ પર સંશોધન કરતા જિયોલોજીકલ વિભાગના વડા ડો.મહેશ ઠક્કરનું કહેવું છે કે, એક વખત ભૂકંપ આવ્યા બાદ બીજી વખત ભૂકંપ આવતા લગભગ 500 વર્ષ જેટલો સમયગાળા પછી મોટો ભૂકંપ આવે છે. ફોલ્ટ લાઈનમાં રહેલી ઉર્જા હળવા ભૂકંપ આંચકા મારફતે બહાર આવે છે. કચ્છ આગામી સમયમાં કોઈ મોટા ભૂકંપના આંચકાની શક્યતા નથી. કચ્છ ભૂકંપ ઝોન-5 હોવાના કારણે ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થવો એ સામાન્ય બાબત છે. કચ્છ જિલ્લામાં મોટા ભાગના આંચકા કેન્દ્રબિંદુ ભચાઉ અને રાપર હોય છે. કચ્છમાં વાગડ સાઉથ ફોલ્ટ લાઈન એક્ટિવ હોવાના કારણે આ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા નોંધાઇ રહ્યા છે. કચ્છ જિલ્લામાં 6થી 7 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઇન આવેલી છે. ભૂકંપ ફોલ્ટ લાઈનમાં કચ્છની ભૂકંપ ફોલ્ટ લાઈન પર સિસમોલોજીવિભાગ અને જિયોલોજીકલ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સંશોધન કરવામાં આવી રહ્યું છે.