“સાબરમતી રીવરફ્રન્ટ પર મોતની સેલ્ફી” – સેલ્ફી લેવા જતા યશ કંસારા નામના યુવકનું મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સેલ્ફી લેતા લોકો માટે આજે એક ચેતવણી રૂપ કિસ્સો બન્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલ રીવરફ્રન્ટ વોક-વેમાં સેલ્ફી લેવા જતા યુવકનો પગ લપસી જતા યુવક નદીમાં પડ્યો હતો. જે બાદ તેને બચાવવા માટે વોક વે પર આવતા લોકો દ્વારા યુવકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતો.

યશ કંસારા નામના યુવકનું નદીમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આ યુવકના મોત અંગેની જાણ તેના પરિવારજનોને થતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવાની શરૂઆત

સેલ્ફી પડાવવા જતા પગ લપસી જતા યશ કંસારા નામનો યુવક નદીમાં પડ્યો હતો. જે બાદ રિવરફ્રન્ટ પર આવતા લોકો દ્વારા આ બાબતે ફાયર બ્રિગ્રેડને જાણ કરતા ફાયર બ્રિગ્રેડનાં જવાનો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જે બાદ યુવકની લાશને બહાર કાઢી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

ગુજરાતમાં ઠંડીનો પારો ઉંચકાયો, શહેરમાં ઠંડીના કારણે ધુમ્મસ ભર્યો માહોલ, નવસારી, સુરત, બોટાદમાં ધુમ્મસની ચાદર છવાઈ

આસામમાં વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 13 લોકોના મૃત્યુ, 30થી વધુ ઘાયલોની સારવાર ચાલુ

ચૂંટણી પહેલા જ EDની નોટિસ શા માટે? દિલ્હી દારૂ કાંડ મામલે અરવિંદ કેજરીવાલ આજે પણ ED સમક્ષ નહીં થશે હાજર

જ્યાં ડોક્ટોરે તેને મૃત જાહેર કર્યો હતો. રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવાનાં ચક્કરમાં યુવકનું મોત નિપજ્યા બાદ પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને લઈ લોકોને જાગૃત કરવાની શરૂઆત કરી છે અને તમે પણ આ પ્રકારની ઘટનાથી સાવચેત રહો, સતર્ક રહો અને સાવધાનીના પગલાં પર ચાલીને આનંદ માણો.


Share this Article