ઉત્તરાખંડમાં દેહરાદૂન એકમાત્ર એરપોર્ટ છે. દેહરાદૂનના નવા ટર્મિનલનું બુધવારે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉડ્ડયન મંત્રાલય પંતનગર અને પિથોરાગઢમાં નવા એરપોર્ટના નિર્માણ પર કામ કરી રહ્યું છે.
ઉત્તરાખંડ સરકારની મદદથી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અલ્મોડા, ચિન્યાલીસૌર, ગૌચર, સહસ્ત્રધારા, નવી ટિહરી, શ્રીનગર અને હલ્દવાનીમાં પણ હેલીપોર્ટ ખોલ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઉત્તરાખંડના ધારચુલા, હરિદ્વાર, જોશીમઠ, મસૂરી, નૈનીતાલ અને રામનગર શહેરોમાં નવા હેલીપોર્ટ બનાવવા માટે કામ કરી રહ્યું છે.
UDAN ના 5.1 રાઉન્ડમાં બાગેશ્વર, ચંપાવત, લેન્સડાઉન, મુન્સિયારી અને ત્રિયુગીનારાયણમાં પાંચ નવા હેલીપોર્ટ ખોલવાની યોજના છે. ટુંક સમયમાં જ ઉત્તરાખંડમાં એરપોર્ટની સંખ્યા વધીને ત્રણ અને હેલીપોર્ટની સંખ્યા 21 થઈ જશે.