યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આ સ્થિતિમા હવે યુક્રેનમાં વસતા 2 હજારથી પણ વધારે લોકો ગુજરાતીઓ છે જેઓ મોટી ચિંતામા મુકાયા છે. કથળતી સ્થિતિને જોતા રાજ્ય સરકારની રજૂઆત છે કે ગુજરાતીઓને ભારત પરત લાવવા માટે પગલા લેવામાં આવે.
મળતી માહિતી મુજબ હાલમા એરલાઇન્સ કંપનીઓએ પણ ટિકિટના ભાવમાં આવી સ્થિતિને જોતા તગડો વધારો કર્યો છે અને બીજી તરફ ભારતના વિદ્યાર્થીઓને પરત જવા પણ કહેવાયુ છે. આ અંગે અમેરિકાએ ચેતવણી પણ આપી છે કે રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર હુમલો કરવાની તૈયારીમા જ છે. અમેરિકા, બ્રિટેન અને જર્મનીએ તો પોતાના નાગરિકોને યુક્રેન છોડવાનું પણ કહી દીધુ છે.
કહ્યું છે. બીજી બાજૂ રશિયાએ યુક્રેનની સરહદ પર લગભગ 100,000 સૈનિકોની તૈનાતી કરી દીધી છે, પણ કોઈ પણ પ્રકારના હુમલા કે કબ્જાની વાતથી સ્પષ્ટ ના પાડી દીધી છે. આ તમામની વચ્ચે શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી.